Book Title: Advitiya Chakshu
Author(s): Kundkundacharya, Kanjiswami
Publisher: Shantilal Chimanlal Zaveri Mumbai

View full book text
Previous | Next

Page 48
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૪૭] નીકળી ગયા છે છતાં તને દરકાર નથી કે હું કોણ છું? ને કયાં છું? ગતિ છે એ પર્યાયના અંશમાં છે પણ પોતાની ત્રિકાળી ચીજમાં એ નથી. તેવી રીતે મંદકષાયનાદયા, દાન, ભક્તિ આદિના પરિણામ પણ પોતાની પર્યાયમાં છે પણ પોતાની ત્રિકાળી વસ્તુમાં તે નથી. હવે કહે છે કે-જીવદ્રવ્ય પરમાત્મસ્વરૂપ નિજ ચૈતન્યમય ત્રિકાળી વસ્તુ તેનું જ્યાં જ્ઞાન થયું ત્યાં પર્યાયને જોવાનું જ્ઞાન ઉઘડયું છે. તે જ્ઞાન શાસ્ત્રના ભણતરથી ઉઘડ્યું છે એ પ્રશ્ન અહીં નથી. અહીં તો જીવનસામાન્યને-ત્રિકાળી જ્ઞાયકમૂર્તિ પ્રભુ આત્માને જાણતાં પર્યાયને જોવાનું જ્ઞાન ઉઘડેલું છે એમ વાત છે. સમજાણું કાંઈ? આ તો ત્રણલોકના નાથનીજેની પાસે એકાવતારી ઇન્દ્રો ગલુડિયાની જેમ વિનમ્રપણે બેસી વાણી સાંભળે છે તે જિનેશ્વરદેવ પરમેશ્વરની વાણી છે! એની ગંભીરતાની શી વાત ! કહે છે-જ્યારે પર્યાયને જોવાની આંખ બંધ કરી, સર્વથા હોં, ત્યારે ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે દ્રવ્ય જોવામાં આવ્યું. પણ હવે ઉઘાડેલા પર્યાયાર્થિક જ્ઞાનથી જીવમાં રહેલી પર્યાયોને જો. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78