Book Title: Advitiya Chakshu
Author(s): Kundkundacharya, Kanjiswami
Publisher: Shantilal Chimanlal Zaveri Mumbai

View full book text
Previous | Next

Page 45
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પણ છે. જ્યારે દ્રવ્યને જોનારું દ્રવ્યાર્થિક ચક્ષુ બંધ થયું ત્યારે પર્યાયને જનારું પર્યાયાર્થિક ચક્ષુ ઉઘડેલું છે. તેથી કહ્યું કે-દ્રવ્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને અર્થાત્ દ્રવ્ય તરફનું લક્ષ છોડી દઈને “એકલા ઉઘાડેલા પર્યાયાર્થિક ચક્ષુ વડે અવલોકવામાં આવે છે, ત્યારે જીવદ્રવ્યમાં રહેલા નારકપણું, તિર્યચપણું, મનુષ્યપણું, દેવપણું અને સિદ્ધપણું-એ પર્યાયોસ્વરૂપ વિશેષોને અવલોકનારા...' જોયું? આ પાંચે પર્યાયો જીવદ્રવ્યમાં રહેલી છે, પણ કાંઈ એ પરમાં છે એમ નથી. અહીં “જીવદ્રવ્યમાં રહેલા” એમ શબ્દ છે. એટલે કે પર્યાયો સ્વદ્રવ્યમાં રહેલી છે, પણ પરની સાથે એને કાંઈ સંબંધ નથી. લ્યો, આવો ઉપદેશ! અજાણ્યાનેક્રિયાકાંડવાળાને તો એવું લાગે કે આ શું માંડી છે? પણ બાપા! આ તારા ઘરની માંડી છે, ભાઈ ! તારું ઘર કેવું અને કેવડું મોટું છે એ તેં કદી સાંભળ્યું નથી પ્રભુ! હવે કહે છે-દ્રવ્યાર્થિકનયના ચક્ષુને સર્વથા બંધ કરીને–એટલે કે તેનું ઉઘડેલું જ્ઞાન તો છે પણ તે તરફ લક્ષ નથી પરંતુ લક્ષ તો જે પર્યાય ઉઘડેલી છે તેમાં છે. તો કહ્યું- દ્રવ્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78