Book Title: Advitiya Chakshu
Author(s): Kundkundacharya, Kanjiswami
Publisher: Shantilal Chimanlal Zaveri Mumbai

View full book text
Previous | Next

Page 41
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૪૦] તારે જોવું છે! પણ એ બધાં જે તારી પર્યાયમાં જણાય છે તે પર્યાયને જોવાની તારી પર્યાય આંખને બંધ કરી દે અને ઉઘડેલા જ્ઞાન વડે દ્રવ્યને જો. તેથી તને અનંતસુખનો સમુદ્ર ભગવાન આત્મા ભળાશે, તું ન્યાલ થઈ જઈશ. અહહાહા..! અદભુત વાત ! અહાહા...! આ બધુંય જીવદ્રવ્ય છે એમ ભાસે છે–એમ કહ્યું ને? એ પણ અનેક જીવોને અને તે દ્રવ્યને જોવાની ઉઘાડલી આંખથી. પર્યાયને જોવાની એક આંખ સાવ બંધ કરેલી છે, જ્યારે દ્રવ્યને જોવાની બીજી જે ઉઘાડલી આંખ છે તે વડે જોતાં બધું જીવદ્રવ્ય છે એમ ભાસે છે, અર્થાત્ અતીન્દ્રિય સુખનો સાગર નિર્મળાનંદ પ્રભુ આત્મા જણાય છે. એટલે કે આત્મદ્રવ્ય ઇન્દ્રિયગમ્ય નથી, વિકલ્પગમ્ય નથી, પર્યાયનય વડે પણ ગમ્ય નથી. પણ એકલા ઉઘાડલા દ્રવ્યાર્થિકનયના ચક્ષુ વડે જ જણાય એવું તત્ત્વ છે. પહેલાં પર્યાયદષ્ટિમાં દ્રવ્યને જોનારું જ્ઞાન બંધ હતું. અવસ્થાઓને જ જોનારને પોતાની દષ્ટિ પોતાને જોતી ન હતી. તેથી કહ્યું કે-અવસ્થાને-પર્યાયને જોવાની આંખ સર્વથા બંધ કરી દે. પર્યાયો Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78