Book Title: Advitiya Chakshu
Author(s): Kundkundacharya, Kanjiswami
Publisher: Shantilal Chimanlal Zaveri Mumbai

View full book text
Previous | Next

Page 34
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૩૩] છે એટલે જણાય છે. પ્રાપ્ત થાય છે એમ અર્થ છે. અહો ! ધન્ય કાળ ! ધન્ય સમય, બાપા! અહાહા...! પર્યાયને જોનારી દષ્ટિને સર્વથા બંધ કરી દઈને દ્રવ્યને જનારા જ્ઞાન વડે અર્થાત્ ઉઘાડેલા દ્રવ્યાર્થિકનય વડે તે નારકપણું આદિ પાંચે પર્યાયોમાં રહેલા જીવસામાન્યને...અહાહા...! આ પાંચે પર્યાયોમાં રહેલો જીવ છે હોં, પરમા-પરની પર્યાયમાં તો એ રહ્યો જ નથી, વ્યવહાર પણ રહ્યો નથી, પણ એ તો પોતાની પાંચ પર્યાયોમાં રહેલો છે. એવા જીવસામાન્યને અવલોકનારા અને વિશેષને નહિ જોનારા એ જીવોને તે બધુંય જીવદ્રવ્ય છે” એમ ભાસે છે અર્થાત્ આ રીતે જો જુએ તો જીવદ્રવ્ય ભાસે છે-જણાય છે–એમ કહે છે. પ્રશ્ન:- પણ પ્રભુ! આ પંચમ આરો છે, નિકૃષ્ટ કાળ છે, છતાં તેમાં જીવદ્રવ્ય ભાસે છે! સમાધાન- પ્રભુ! આરા-સારા કાંઈ આત્માને લાગુ પડતા નથી. અહીં! તેને જ્યાં પર્યાયનય પણ લાગુ પડતી નથી. (ત્યાં આરાની વાત કયાં રહી?) જોકે જાણવા માટે પર્યાયનયથી જોવાની વાત કરશે પણ તે પછી કરશે. બેમાંથી Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78