Book Title: Advitiya Chakshu
Author(s): Kundkundacharya, Kanjiswami
Publisher: Shantilal Chimanlal Zaveri Mumbai

View full book text
Previous | Next

Page 32
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૩૧]. કાઢી નાખ્યા. ફક્ત જે સિદ્ધપણું આદિ પાંચ પર્યાયો છે તે પર્યાયોમાં રહેલા એક જીવસામાન્યને અવલોકનારા–એમ વાત છે. તો ત્યાં એ અવલોકનારી-જાણનારી પર્યાય તો રહી? તે રહી ને ? અવલોકનારો દ્રવ્યાર્થિકનય છે તે પર્યાય જ છે, પણ તે પર્યાયને અવલોકતો નથી, દ્રવ્યસામાન્યને અવલોકે છે એમ વાત છે. ભાઈ ! આવું કોઈ દિ' સાંભળ્યું ન હોય એટલે નવું લાગે. પણ આ તો ભગવાન ત્રિલોકનાથની વાણી ! આત્માને સ્પર્શી નાખે એવી વાત છે. પ્રશ્ન:- એક જીવસામાન્યને અવલોકનારા –એમ કીધું ત્યાં એ “સામાન્ય” શું છે? સમાધાનઃ- સામાન્ય એટલે કાયમ એકરૂપ રહેનારી–બદલ્યા વિના રહેનારી આત્મવસ્તુ અસ્તિ તરીકે બદલ્યા વિનાનું, કાયમ રહેનારું અખંડ એકરૂપ જે ત્રિકાળી આત્મદ્રવ્ય તે સામાન્ય છે. હવે આ વાણિયા બિચારા આખો દિ' વેપાર-ધંધામાં ગરી ગયા હોય એટલે આવુ ઝીણું પડે. પણ ભાઈ ! આ તો ખાસ ફુરસદ લઈ સમજવાની આત્મહિતની વાત છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78