________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૯] ચક્ષુને સર્વથા બંધ કરીને એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે...' અહાહા...! દ્રવ્યને-ત્રિકાળીને જાણવો છે ને? તો કહે છે–વિશેષનયની આંખ બંધ કરીને દ્રવ્ય જેનું પ્રયોજન છે એવા દ્રવ્યાર્થિકનયની આંખ વડે જો. એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે –અહાહા...! ભાષા તો જુઓ! અવસ્થાને જોનારી પર્યાયાર્થિક આંખ બંધ કરી દઈને દ્રવ્યસામાન્યને જોનારીજાણનારી દ્રવ્યાર્થિક આંખ વડે જો; તેથી તને અવસ્થામાં સામાન્ય-સામાન્ય દ્રવ્ય ભગવાન આત્મા જણાશે. અહાહા...! અવસ્થાને જોનારી આંખ બંધ કરી દઈને સામાન્યને જોતાં જોનારી વિશેષ પર્યાય તો રહેશે, પણ પર્યાયનો જોવાનો વિષય વિશેષ નહિ પણ સામાન્ય રહેશે. સમજાણું કાંઈ...!
કહે છે? કે વિશેષને જોનારી પર્યાયાર્થિક આંખ બંધ કરી દે. અહાહા...! બીજાને જોવાનું બંધ કરી દે એ વાત તો એકકોર રહી; કેમકે પોતાના સિવાય બીજા જે પદાર્થો છે, પછી ભલે તે ત્રણલોકના નાથ ભગવાન હોય તોપણ, તેને જોવાની જે દૃષ્ટિ છે તે કાંઈ પર્યાયાર્થિક દૃષ્ટિ કે દ્રવ્યાર્થિક દ્રષ્ટિ નથી. ફક્ત પોતાનામાં બે પ્રકાર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com