________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૮] દુનિયાની જંજાળમાં વીતી જાય છે, અને એમ ને એમ જિંદગી પૂરી થઈ જાય છે.
અહીં કહે છે-“ ખરેખર સર્વ વસ્તુ સામાન્યવિશેષાત્મક હોવાથી વસ્તુનું સ્વરૂપ જોનારાઓને અનુક્રમે (૧) સામાન્ય અને (૨) વિશેષને જાણનારાં બે ચક્ષુઓ છે-(૧) દ્રવ્યાર્થિક અને (૨) પર્યાયાર્થિક.” પાઠમાં (ગાથામાં) તો આટલું જ લીધું છે કે સામાન્ય-વિશેષને અનુક્રમે જોવા. પણ અહીં ટીકામાં સાથે જોવાની વાત પણ લેશે.
તો કહે છે-“તેમાં, પર્યાયાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને.' લ્યો, અહીંથી ઉપાડ્યું છે. દ્રવ્યાર્થિક ચક્ષુને બંધ કરીને–એમ ઉપાડયું નથી. કહે છે દ્રવ્યને જોવા માટે પર્યાયાર્થિક આંખને સર્વથા બંધ કરી દે. ગજબ વાત ભાઈ ! પર્યાય છે ખરી પણ તેને જોવા તરફની દષ્ટિ બંધ કરી દે એમ વાત ઉપાડી છે. પહેલાં એ તો કહ્યું કે-સામાન્ય-વિશેષાત્મક વસ્તુ છે. ( વિશેષ નથી એમ કયાં વાત છે? પણ હવે વિશેષને જોવાની આંખને બંધ કરીને અહાહા...! છે? (પાઠમાં?) તે પાછું કથંચિત્ બંધ કરીને એમ નહિ, પણ “પર્યાયાર્થિક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com