Book Title: Advitiya Chakshu
Author(s): Kundkundacharya, Kanjiswami
Publisher: Shantilal Chimanlal Zaveri Mumbai

View full book text
Previous | Next

Page 13
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૧૨] છે. કહે છે-દરેક દ્રવ્ય પોતાના સ્વરૂપે કાયમ રહીને પ્રતિસમય અનેરી–અનેરી એટલે કે અન્ય-અન્ય અવસ્થાપણે થાય છે તેથી એ અપેક્ષાએ તેને અન્યઅન્ય પણ કહેવાય છે અને તે અવસ્થા એની જ (દ્રવ્યની જ) છે, દ્રવ્ય પોતે જ એ અવસ્થારૂપ આવ્યું-પરિણમ્યું છે માટે તે અનન્ય પણ કહેવાય છે. લ્યો, આવી વાત! આખી દુનિયાની આમ વહેંચણી કરી નાખી. અહાહા...! શું સૂક્ષ્મ તત્ત્વજ્ઞાન! કહે છે કે પર્યાયમાં જીવને નારકી આદિ અનેકપણું હોવા છતાં જીવ અનન્ય છે, કેમકે આત્માની સાથે તે પર્યાયનું તન્મયપણું છે. ચાહે હિંસાના પરિણામ હો, દયાના પરિણામ હો, ભક્તિ-પૂજાના પરિણામ હો કે રૌદ્રધ્યાનના પરિણામ હો–એ પરિણામ દ્રવ્યની પર્યાયમાં છે. તે પરિણામ અનેરી–અનેરી અવસ્થારૂપ હોવાથી આત્માને અન્ય પણ કહેવાય છે અને આત્મા તેમાં વર્તે છે માટે અનન્ય પણ કહેવાય છે. આત્માને પર પદાર્થની સાથે કાંઈ સંબંધ નથી કેમકે તે પર પદાર્થ તો તદ્દન અન્ય જ છે, અનન્ય નથી. અહીં તો પ્રત્યેક દ્રવ્યની પર્યાય અન્ય અન્ય થતી–ઉપજતી દ્રવ્યથી અનન્ય છે એમ કહે Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78