Book Title: Advitiya Chakshu
Author(s): Kundkundacharya, Kanjiswami
Publisher: Shantilal Chimanlal Zaveri Mumbai

View full book text
Previous | Next

Page 12
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રવચનસાર ગાથા ૧૧૪ : મથાળુ હવે એક દ્રવ્યને અન્યત્વ અને અનન્યત્વ હોવામાં જે વિરોધ તેને દૂર કરે છે (અર્થાત્ તેમાં વિરોધ નથી આવતો એમ દર્શાવે છે ): અહીં શું કહેવું છે? કે સામાન્યપણે દ્રવ્ય એનું એ જ અનન્ય છે અને વિશેષપણે તે ભિન્ન-ભિન્ન, અન્ય-અન્યપણે છે. અહાહા...! અવસ્થાએ અન્ય અન્ય હોવા છતાં દ્રવ્યે અનન્ય જ છે. દરેક દ્રવ્ય, જોકે દાખલો જીવનો આપશે, સામાન્ય છે અર્થાત્ એનું એ જ અનન્ય છે અને વિશેષ પણ છે અર્થાત્ અન્ય અન્ય પણ છે. દ્રવ્યનું વિશેષ-પર્યાય સ્વકાળે અન્ય અન્ય હોવા છતાં તે દ્રવ્યથી અનન્ય જ છે, દ્રવ્યથી જુદું નથી. ભાઈ ! આ તો દરેક દ્રવ્યના સ્વરૂપનું ક્થન છે. આત્માને કર્મની સાથે, શરીર સાથે, કુટુંબ સાથે, દેશ સાથે, આબરૂ સાથે કે પૈસા-પગાર સાથે કોઈ સંબંધ નથી. કેમ ? કેમકે એ તો સર્વ પદ્રવ્ય ભિન્ન જ છે, અન્ય જ છે, અનન્ય નથી. અહીં તો દ્રવ્યને પોતામાં જ અન્યત્વ, અનન્યત્વ હોવામાં વિરોધ નથી એ વાત સિદ્ધ કરે Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78