________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચનસાર ગાથા ૧૧૪ : મથાળુ
હવે એક દ્રવ્યને અન્યત્વ અને અનન્યત્વ હોવામાં જે વિરોધ તેને દૂર કરે છે (અર્થાત્ તેમાં વિરોધ નથી આવતો એમ દર્શાવે છે ):
અહીં શું કહેવું છે? કે સામાન્યપણે દ્રવ્ય એનું એ જ અનન્ય છે અને વિશેષપણે તે ભિન્ન-ભિન્ન, અન્ય-અન્યપણે છે. અહાહા...! અવસ્થાએ અન્ય અન્ય હોવા છતાં દ્રવ્યે અનન્ય જ છે. દરેક દ્રવ્ય, જોકે દાખલો જીવનો આપશે, સામાન્ય છે અર્થાત્ એનું એ જ અનન્ય છે અને વિશેષ પણ છે અર્થાત્ અન્ય અન્ય પણ છે. દ્રવ્યનું વિશેષ-પર્યાય સ્વકાળે અન્ય અન્ય હોવા છતાં તે દ્રવ્યથી અનન્ય જ છે, દ્રવ્યથી જુદું નથી. ભાઈ ! આ તો દરેક દ્રવ્યના સ્વરૂપનું ક્થન છે.
આત્માને કર્મની સાથે, શરીર સાથે, કુટુંબ સાથે, દેશ સાથે, આબરૂ સાથે કે પૈસા-પગાર સાથે કોઈ સંબંધ નથી. કેમ ? કેમકે એ તો સર્વ પદ્રવ્ય ભિન્ન જ છે, અન્ય જ છે, અનન્ય નથી. અહીં તો દ્રવ્યને પોતામાં જ અન્યત્વ, અનન્યત્વ હોવામાં વિરોધ નથી એ વાત સિદ્ધ કરે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com