________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાશાસ
पाक्षिकत्वात्प्रयोगाणां अपायानां च दर्शनात् । धर्मार्थयोश्च वैलोम्यानाचरेत्पारदारिकम् ।। तदेतदाररक्षार्थमारब्धं श्रेयसे नृणाम् ।
प्रजानां दृषणायैव न विज्ञेयोऽस्य संविधिः ॥ આ ઉપરની ટીકામાં યશોધર કહે છે કે, “ત વિકઈ તfकरणमुच्यते इतिचेदाहतदेतदिति । न हि तदथं मुख्यं विधानमित्यर्थः। इति दारराक्षितकमेकोनपंचाशत्तमं प्रकरणम् । '१
અહીં વાસ્યાયને પોતે અને ટીકાકાર યશોધરે શાસ્ત્ર પરથી સમજી લઈને સમાજકંટકાથી સ્ત્રીઓનું રક્ષણ કરી શ્રેયસ્ પ્રાપ્ત કરી લેવા માટે આ પારદારિકમ પ્રકરણ લખ્યું છે એમ સ્પષ્ટ કહ્યું છે, છતાં તર્કતીર્થે ઉપરનાં બે પ્રશ્નાર્થ વાકયો પૂક્યાં છે, એ એક મહદાશ્ચર્ય છે. અહીં બે પક્ષે સંભવી શકે છે; એક તે આ લેખકે વાસ્યાયનને ગ્રંથ વાંચેલે જ ન હો જોઈએ અને થોડી ઘણી સાંભળેલી માહિતી પરથી આવું વિધાન ઠેકી દીધું હોવું જોયએ. તેમ જે હોય તે આ ગૃહસ્થે કોઈપણું સ્વરૂપના નિર્ણયની માથાકુટમાં પડવું જોઈતું ન હતું. બીજો પક્ષ એ કે લેખકે ગ્રંથ વાંચો હોઈ અમે આપેલા કોની ખબર હતી; એમ હોય અને છતાં તેમણે વિધાનો કર્યા હોય તે આ લેખકના પ્રામાણિકપણું વિશે શંકા રહે છે, તેથી એ આપ્ત કે યથાર્થ વકતા નથી. ઠીક; આવી તે અનેક ખુબીઓ સુધારણ કરવા ઈચ્છનારા પંડિતના ગ્રંથમાં બતાવી શકાય તેમ છે, પણ સ્થળસંકોચને લીધે એ આપી શકતા નથી. આ પંડિતાએ સમર્થન કરવાની જ દૃષ્ટિએ વિચાર કર્યો હોવાથી, પ્રમાણ પ્રમેયવાદની વિશેષ ચર્ચા કરી જ નથી, અને જે કંઈ કરી છે, તેનું પરીક્ષણ યથાવકાશ કરીશું.'
૨ કામસૂત્ર -રાજસ્થાન પાનાં ૩૦૪, ૩૦૫
For Private and Personal Use Only