________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
એકબીજાથી જેટલું સુખ મળવું શક્ય છે તેટલું મળતું નથી, એમ ન હતાં પિતાના ભાગીદારથી જે સુખ પ્રાપ્ત થાય છે તેના કરતાં બીજી એકાદ વ્યક્તિ પાસેથી વધુ સુખ પ્રાપ્ત થશે એ તર્ક હોય છે, અને વ્યભિચાર કરવામાં ન આવ્યો હોય તો વધુ સુખી થશે કે નહિ એ આગળ કરવાનું હોય છે; તેથી વ્યભિચાર કર્યો હોય તે વ્યભિચારજન્ય સુખ અને વિવાહજન્ય સુખ એ બંને સુખ માનસિક ઘટનામાં જુદાંજુદાં મૂલ્યો ધારણ કરતાં હોવાથી, જે જાર હતો તે જ જે પતિ થાય છે તે જ સુખ મળશે કે નહિ એ અનિશ્ચિત જ હોય છે. આ અનુમાન માટે વ્યકિત એકબીજાથી વિભકત થવા ઈચ્છે છે, અને અનુમાન ખોટું પડે તે ફરીથી છુટાછેડા છે જ.
બીજી વિવાહમાં પ્રેમ હોવો જોઈએ એ બાબત આપણે કિંચિત કાલ માન્ય કરીએ તો બીજો પ્રશ્ન એવો ઉત્પન્ન થાય છે કે વિવાહસંસ્કાર થવા પહેલાં ઉપન્ન થયેલી ભાવનાને પ્રેમ કહે અને પછી ઉત્પન્ન થયેલી ભાવનાને પ્રેમ કહે નહિ એ કંઇ પ્રેમશાસ્ત્રમાં નિયમ છે કે શું તેને ખુલાસે થવું જોઇએ. વિવાહથી બંધાઈ ગયા પછી અને છુટાછેડાની સગવડ ન હોય અને કદાચ પ્રેમ ઉત્પન્ન થાય નહિ તે શું કરવું? જેવી રીતે આ પ્રશ્ન ઉત્પન્ન થઈ શકે છે, તેવી જ રીતે પ્રેમોત્તર વિવાહ કરી તે પ્રેમ નષ્ટ થાય તે શું કરવું એ પણ પ્રશ્ન પૂછી શકાય તેમ છે. બંને સ્થિતિમાં નૈતિક મૂલ્યો સ્થિર ન હોય તે ઘણી જ આપત્તિઓ આવે છે એ ભૂલવું ન જોઈએ,
આવી રીતે વિવાહ પ્રેમમૂલક થાય છે અને છુટાછેડાની વ્યવસ્થા રાખવામાં આવે તે, વિવાહને એક ઘટક જે સ્ત્રી તેની
–Tolstoy,
૧ કાવ્યપ્રકાશ-મમ્મટ; My Husband and Vendatta Maria correli.
૨ Science of living-Alfred Adler,
For Private and Personal Use Only