Book Title: Hinduonu Samajrachna Shastra
Author(s): Liladhar Jivram Yadav
Publisher: Liladhar Jivram Yadav

View full book text
Previous | Next

Page 586
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હિંદુ જાતિ સંસ્થા - ૫૪૯ પરમેશ્વરને પિતાના ધ્યેયની નિશ્ચિત રીતે જાણે છે. આ બંને વસ્તુઓ માત્ર પ્રત્યક્ષ પ્રમાણથી અસિદ્ધ અને સત્ પ્રતિપક્ષ છે અને તેથી જ તે ઉપરથી નિર્ણાયક નીતિ નિયમોની પ્રતીતિ થવી અશક્ય છે. માનવના સર્વ કર્તુત્વનું આદીકારણ પરમાણુઓનું સંધટન અને વિઘટન છે એમ કહેવાવા લાગ્યું છે તે સાચું શા ઉપરથી ? પરમાણુના માત્ર સંઘટન અને વિઘટનથી કશુંય ઉત્પન્ન થતું નથી એટલીજ સૂચના બસ છે. સૂર્યમાલાને અંત થશે એ વાત સાચી શા ઉપરથી ? ત્યારે સૂર્યમાલાનો જીવનદાતા જે સૂર્ય તે કાલાન્ત શીત બની (મૃતચંડ-માર્તe) સર્વ જીવજાતિઓ નષ્ટ થશે એ પણ સાચું કેમ માની શકાય ? સૂર્ય કાયમ ઉષ્ણતા બહાર ફેંકે છે એ થર્મો ડાયનેમિકસ કહે છે. વારૂ! વળી થર્મો ડાયનેમિકસ કહે છે કે આખા વિશ્વમાં ઉષ્ણતાને સતત વ્યય થઈ રહયો છે પણ ઉષ્ણતા મૂળમાંજ ક્યાંથી આવી એને કેઈ શાસ્ત્ર ખુલાસો કરશે કે ? જે રીતે પ્રથમ ઉષ્ણતા ઉતપન્ન થઈ તેવી રીતે ફરીથી પણ થશે. આશ્ચર્ય તો એ છે ક જગતની ઉપ્તતિનું પ્રથમનું અધું જ્ઞાન ન હોવા છતા સૃષ્ટિમાં બાકીના અર્ધા જ્ઞાન પર લેકે કુદાકુદ કરવા લાગે છે. મૂળ ખુલાસો તે થતું નથી. ઉત્તિને નિયમ ખબર નથી. માત્ર વ્યવને નિયમને પકડી બેસી પિતાને સર્વ જ્ઞાન થઈ ગયું છે, એવાં ગપ્પાં હાંકવામાં આવે છે. પ્રત્યક્ષ પ્રમાણુવાદીઓના એક્કેએક તો આવાં ઓગળી જનારાં છે. અમે અગાઉ કહ્યા પ્રમાણે પ્રત્યક્ષ પ્રમાણુવાદી લેકે અનુમાન આપવાક્યાદિ પ્રમાણોનો ઉપયોગ છુટથી કરતા હોય છે, માત્ર પ્રતિપક્ષીઓને તેમ કરવાની છુટ તેઓ આપતા નથી. અહીં અમે હિંદુઓના પડદર્શનની મીમાંસા કરી આચાર ધર્મની અને સમાજશાસ્ત્રની બાબતોમાં મીમાંસકોને જ શા માટે શ્રેષ્ઠમાનવા એની ચર્ચા કરી હતી, પરંતુ ગ્રંથવિસ્તાર બહુ થશે. ખરી હકીક્ત એમ છે કે પ્રત્યક્ષ (ત્રિકથાનિક ન) શાસ્ત્રો અનુભવ લેનારી વ્યક્તિ વિશે કંઈ પણ કહી શકતાં For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620