Book Title: To Pachi Kyare Author(s): Ratnasundarsuri Publisher: Ratnasundarsuriji View full book textPage 5
________________ શાસ્ત્રજ્ઞાન : સંવેદનશીલતા કેવી ? એ વ્યક્તિ છીએ, આપણે પોતે જ ઠંડી સખત હતી. સહવર્તી મુનિવર આખી રાત જાગતાં રહ્યા છતાં સવારે એમના ચહેરા પર પ્રસન્નતા જ નિહાળતાં એમને પૂછી લીધું. ‘ઊંઘ ન આવી એનું દુઃખ ?’ ના. જરાય નહીં. આખી રાત સ્વાધ્યાય સરસ થયો.” આ હતો એમનો જવાબ. સંસારના ક્ષેત્રમાં જ્ઞાન ના ક્ષેત્રે સતત આગળ વધી રહેલા અથવા તો આગળ વધી ચૂકેલા કોઈ પણ યુવકના હૃદયમાં તમે ડોકિયું કરી જોજો . તમને સ્પષ્ટ ખ્યાલ આવી જશે કે ત્યાં સંવેદનશીલતાનાં નામે કશું જ બચ્યું નથી. જેમ જેમ ભણતર વધતું ગયું, એનાં હૃદયમાં રહેલ સંવેદનશીલતામાં કડાકો બોલાતો ગયો. આપણે તો સંયમી છીએ. આપણે જે જ્ઞાન મેળવી રહ્યા છીએ એ જ્ઞાનને તો ‘સમ્યફ’નું વિશેષણ મળેલું છે. તપાસવાનું એટલું જ છે કે શાસ્ત્રજ્ઞાનક્ષેત્રે જેમ જેમ આપણે વિકાસ સાધતા જઈએ છીએ તેમ તેમ આપણી સંવેદનશીલતા શૂન્ય બનતી જાય છે કે પછી સૂક્ષ્મ અને શુદ્ધ બનતી જાય છે ? ગણધર ભગવંત ગૌતમસ્વામીની સંવેદનશીલતાને આપણે કસોટીનો પથ્થર બનાવી દઈએ તો કેમ ? ગોચરીમાં બધું ય બરાબર હતું માત્ર દાળમાં મીઠું થોડુંક ઓછું હતું. હું વ્યથિત હતો. સહવર્તીએ મને કારણ પૂછ્યું, ‘આજે દાળ બેકાર આવી' આ મારો જવાબ હતો. સાચું કહું ? આ સંસારમાં એક જ વ્યક્તિ આપણને સુખી કે દુઃખી કરી શકે છે. અને એ વ્યક્તિ છીએ આપણે પોતે જ. સંયમજીવનનાં આટલાં વરસોના પર્યાય પછી આ સત્ય આપણને સમજાઈ ગયું છે ખરું? ()Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50