Book Title: To Pachi Kyare
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 22
________________ “શું ન વિચારાય ?' એની જાણકારી ખરી ? અહોભાવ દ્વારા કદ વધારી દઈએ આરાધનાનું _ ક સંયમજીવનમાં શું ન કરાય ? એની જાણકારી પણ આપણી પાસે છે અને એના શક્ય અમલ માટે આપણે પ્રયત્નશીલ પણ છીએ. આ જીવનમાં શું ન બોલાય ? એની સમજ પણ આપણી પાસે છે અને સાવધગીરીપૂર્વક એના અમલ માટે આપણે પ્રયત્નશીલ છીએ પણ સબૂર ! આ જીવનમાં શું ન વિચારાય ? એની પર્યાપ્ત જાણકારી આપણી પાસે છે ખરી ? જેટલી પણ જાણકારી આપણી પાસે છે એનો શક્ય અમલ આપણા જીવનમાં ચાલુ છે ખરો? જો, આ બાબતનો સંતોષજનક પ્રત્યુત્તર અંતઃકરણમાંથી ન ઊઠતો હોય તો એટલું જ કહીશ કે સેકંડના કાંટામાં ઊભી થયેલ ગરબડ મિનિટના અને કલાકના કાંટાને વ્યવસ્થિત ચાલવા દે એ વાતમાં કોઈ માલ નથી. હું શું કહેવા માગું છું, એ તમે સમજી ગયા હશો. આરાધના ભલે ને સાવ નાની છે. જે યોગનું આપણે સેવન છે કરી રહ્યા છીએ એ સદ્યોગ ભલે ને સાવ નાનો છે. એને મોટો અને || 8 મહાન બનાવી દેવા જો આપણે માગીએ છીએ તો એનો શ્રેષ્ઠ વિકલ્પ છે એ છે કે એ યોગ પ્રત્યેના આપણા હૃદયના અહોભાવને આપણે તે પરાકાષ્ટાએ લઈ જતા રહીએ. સાહીનું ટીપું નાનું જ હોય છે ને? પણ ફેલાય છે જો એ છે બ્લૉટિંગ પેપર પર, તો પછી જોઈ લો એની વિરાટતા. કદાચ સંપૂર્ણ || બ્લૉટિંગ પેપર પર એ પોતાનું સામ્રાજ્ય સ્થાપી દે છે. શું કહું? આરાધનાનું કદ જો ૧નું છે તો એ આરાધના પ્રત્યેના | અહોભાવનું કદ નું છે. ૧ની બાજુમાં મૂકી દો. સીધી ૧ની [T 8 તાકાત દસગણી વધી જશે. આરાધના પ્રત્યેનો અહોભાવ વધારી છે દો. આરાધનાની તાકાત દસગણી વધી જશે.

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50