Book Title: To Pachi Kyare
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 32
________________ ભૂલનો બચાવ : દીવાલ છે ઈચ્છાને નિયમમાં બાંધી દો . છે. ભૂલ થઈ ગયા પછી કે ભૂલ કરી લીધા પછી જેણે પણ પોતાની એ ભૂલનો સ્વીકાર કરી લીધો છે એ આત્મા ગલત રસ્તે પ્રાયઃ ગયો નથી અને જેણે પણ પોતાની એ ભૂલનો બચાવ જ કર્યો છે એ આત્મા પ્રાયઃ સાચા રસ્તા પર ટકી શક્યો નથી. તપાસતા રહો મનનાં વલણને ભૂલ સ્વીકારી લેવાનું સાહસ એ ધરાવે છે કે પછી ભૂલનો બચાવ કરતા રહેવાની ધૃષ્ટતા જ એ દાખવતું રહે છે? શું કહું ? ક્ષેત્ર ચાહે સંસારનું હોય કે અધ્યાત્મનું હોય, જીવન ચાહે સંસારીનું હોય કે સંયમીનું હોય, વિકાસ માટેની અનિવાર્ય શરત આ જ છે. ભૂલ જ્યાં પણ થાય, જ્યારે પણ થાય, ત્યાં અને ત્યારે એની કબૂલાત કરી જ લો. કારણ કે ભૂલનો બચાવ એ તો એક એવી દીવાલ છે કે જે તમને નથી તો સમ્યફ જોવા દેતી કે નથી તો સમ્યક કરવા દેતી. વાચનાશ્રવણ પછી પણ, શાસ્ત્રવાંચન પછી પણ , સનિમિત્તોનાં સેવન પછી પણ અને સઆલંબનો દર્શન પછી પણ પ્રમાદત્યાગ માટે કે ધર્મસેવન માટે આપણા મનમાં કોઈ ભાવ એ જ ન ઊઠે એ હદની અપાત્રતા તો આપણામાં નથી જ આમ છતાં તે પ્રશ્ન એ ઊઠે છે કે પ્રમાદત્યાગ ક્ષેત્રે કે ધર્મસેવનક્ષેત્રે જીવનમાં છે હરણફાળ કેમ નથી અનુભવાતી ? એક કામ આપણે કરશું ? જ્યારે જ્યારે પણ પ્રમાદત્યાગ માટે કે ધર્મસેવન માટે મન તૈયાર થઈ જાય ત્યારે ત્યારે મનની એ ! કે ઇચ્છાને આપણે નિયમમાં બાંધી જ દઈએ. દોરામાં પરોવાઈ જતી સોયની ગુમ થઈ જવાની શક્યતા જ જો ખતમ થઈ જાય છે તો નિયમમાં બંધાઈ જતી અશુભના ત્યાગ જ માટેની અને શુભના સેવન માટેની ઇચ્છા નપુંસક બની રહેવાની || પ્ત શક્યતા પર પૂર્ણવિરામ મુકાઈ જાય છે. (૪) aRE

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50