________________
સ્ટેશન મૈત્રીભાવનું
વિચારેલું નથી મળતું ? | . કે ન વિચારેલું મળી ગયું છે?.
જેમનામાં એક પણ દોષ નથી એવા વીતરાગ પરમાત્મા પ્રત્યે આપણા હૈયામાં જો સાચા અર્થમાં આપણે ભક્તિભાવ ઊભો કરવા માગીએ છીએ તો એનો ક્યારેય નિષ્ફળ ન જાય એવો ઉપાય આ છે કે જેઓના જીવનમાં સંખ્યાબંધ દોષો છે એવા આ જગતના જીવો પ્રત્યે આપણા હૈયામાં મૈત્રીભાવ ઊભો થઈ જાય.
ટૂંકમાં,
મુંબઈથી ટ્રેન દ્વારા શંખેશ્વર પહોંચવા માગનારે વચ્ચે જેમ વીરમગામ, વડોદરા કે અમદાવાદ પહોંચવું જ પડે છે તેમ વીતરાગ પ્રત્યેના ભક્તિભાવથી હૈયાને તરબતર રાખવા ઇચ્છતા સાધકે વચ્ચે જીવો પ્રત્યેના મૈત્રીભાવના સ્ટેશને ઊતરવું જ પડે છે.
પૂછો મનને. મૈત્રીભાવના સરવાળા માટે એ તૈયાર ખરું ? ભક્તિભાવના ગુણાકાર સુધી તો જ પહોંચી શકાવાનું છે.
છે જે-જે વિચારીએ છીએ તે-તે નથી મળતું એના દુઃખથી મન
ક્યારેક ગ્રસ્ત થઈ પણ જતું હોય તો એ દુઃખને દૂર કરી દેવા એક || વિચારણા આપણે આ કરવાની જરૂર છે કે જે-જે ચીજોની આપણે જ વિચારણા પણ નહોતી કરી તેને ચીજો આ જીવનમાં આપણને ? મળી ગઈ છે એનો આનંદ આપણે શા માટે ન અનુભવીએ ?
જવાબ આપો.
કલ્પના ય કરી હતી ખરી આપણે કે આ ભવમાં આપણને જે સંયમજીવન મળશે ? સંયમજીવનમાં ગુરુદેવનો આપણને પ્રેમ છે.
મળશે ? જ્ઞાનાવરણનો આવો સુંદર ક્ષયોપશમ આપણને ઉપલબ્ધ થશે ? જીવનમાં શક્તિઓનો આવો સુંદર ઉઘાડ થશે ?
ટૂંકમાં, “જે વિચારીએ છીએ એ નથી મળતું” ના દુઃખથી જ મુક્ત થઈને “જે નહોતું વિચાર્યું એ મળી ગયું છે' ના આનંદને || છેઅનુભવતા રહીએ. મજા આવી જશે.