________________
મદપ્રધાન જીવન કે દમપ્રધાન જીવન ?
સંસારી જીવનની અનેક પ્રકારની ઓળખમાંની એક ઓળખાણ આ છે. મદપ્રધાન જીવન સંસારીનું હોય છે. રૂપનો મદ, સંપત્તિનો મદ, સત્તાનો મદ, સામગ્રીનો મદ, શક્તિનો મદ, બળનો મદ. કહેવું હોય તો એમ કહી શકાય કે મદ પુષ્ટ કરવા જ સંસારી માણસ જીવનભર દોડતો રહે છે.
પણ સબૂર !
સંયમીના જીવનની અનેક પ્રકારની ઓળખમાંની એક
ઓળખાણ આ છે. દમપ્રધાન જીવન સંયમીનું હોય છે.
રૂપ જોવા તલસતી આંખો પર દમન, નિંદા સાંભળવા તલસતા કાનો પર દમન, સ્વાદિષ્ટ દ્રવ્યો વાપરવા લાલાયિત બનતી જીભ પર દમન, ગલત સ્મૃતિ-કલ્પના-વિચારોમાં આળોટવા માગતા મન
પર દમન. ટૂંકમાં કહેવું હોય તો એમ કહી શકાય કે દમપ્રધાન
જીવનશૈલી બનાવવા તલસતો હોય એ જ સાચો સંયમી ! આપણો નંબર આમાં ખરો ?
凹
૧૯
Be
મૂડીમાં વધારો નહીં : રોજ ઘટાડો
આવકમાં એક પણ રૂપિયાનો વધારો થાય નહીં અને મૂડીમાં રોજેરોજ ઘટાડો થતો જ રહે એવો સંસારી માણસ પ્રત્યેક રૂપિયાનો ઉપયોગ કેટકેટલી સાવધગીરીપૂર્વક કરતો રહે ?
પ્રભુવીરે વારંવાર ઉચ્ચારેલ આ ચેતવણી ‘સમય ગોયમ ! મા પમાયણ' પાછળનું રહસ્ય આ જ છે ને ? ‘સમયની જે મૂડી
તમારી પાસે છે એમાં એક પણ સમયનો વધારો તમે કરી શકવાના નથી અને સતત ઘટી રહેલ સમયની મૂડીને તમે અટકાવી શકવાના નથી અને એટલે જ હે મુનિઓ ! એક સમયનો પણ પ્રમાદ તમે કરશો નહીં.'
એક કામ આપણે કરશું ?
ગોચરીને, વાતચીતોને અને નિદ્રાને આપણે કેટલો સમય
આપી રહ્યા છીએ એની રોજ વ્યવસ્થિત નોંધ કરતા રહીએ. કદાચ આંખોમાંથી આંસુ વહેવા લાગશે.
૨૦