Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02 Author(s): Dipratnasagar, Deepratnasagar Publisher: Shrutnidhi Ahmedabad View full book textPage 5
________________ બીજા અધ્યાયના આરંભે તત્વાર્થાધિગમ સૂત્રના પ્રથમ અધ્યાયમાં જીવાદિ સાત તત્ત્વોની શ્રધ્ધાને સમ્યગુદર્શન કહ્યુ આસાતે તત્ત્વોની સમ્યક જાણકારી માટે સૂત્રકાર મહર્ષિએ દ્વિતીયાદિ અધ્યાયમાં જીવાદિ તત્ત્વોનો બોધ કરાવેલ છે. બીજા અધ્યાયમાં કુલ-પર-સૂત્ર થકી જીવનું સ્વરૂપ જીવનું લક્ષણ જીવના ભેદઇક્રિય-જીવની ગતિ-શરીર જન્મ વગેરે મુદ્દે થકી જીવતત્ત્વની પર્યાપ્ત માહિતી પ્રાપ્ત થાય છે. પ્રથમ અધ્યાયના પ્રથમ સૂત્ર થકી મોક્ષમાર્ગ ને દર્શાવીને પૂજયપાદું ઉમાસ્વાતિજી મહારાજા એ સમગ્ર ગ્રન્થનું લક્ષ્યબિંદુપ્રગટ કરેલું જ છે. દશે અધ્યાયમાં આસૂત્રનો જપરોક્ષ વિસ્તાર છે. જેમકે-સમ્યગ્દર્શન એટલે શું? જીવાદિ તત્વોની શ્રધ્ધા – જીવ એટલે શું કે તેનું સ્વરૂપ અને સંબંધિત બાબતો કઈ કઈ? આ સમગ્ર ચર્ચા થકી “જીવતત્વને જાણતો સાધક મોક્ષપથ પર કદમ આગળ ધપાવી શકે છે. જીવ તત્ત્વની શ્રદ્ધા દ્રઢ થાય છે. ગ્રન્થ અભ્યાસનું લક્ષ્ય સિદ્ધ કરવા મોક્ષ સમક્ષ સતત દૃષ્ટિ રહે તે નિતાન્ત આવશ્યક છે. શ્રધ્ધાવિહિન સાધક મોક્ષમાર્ગે સ્થિર રહી શકતો નથી. આ રીતે કોઇપણ અધ્યાય કે કોઈપણ સૂત્ર થકી પ્રગટ થતો તાત્પર્યાર્થ તો મોક્ષની આધારશીલા જ બનવાનો એ રીતે આ અધ્યાયમાં જીવતત્વ જીવતત્વની શ્રધ્ધા- તદ્વિષયક જ્ઞાન વગેરે એક સુંદરબાબત ફલીત કરે છે. જયાં સુધી જીવને પરવસ્તુનો સંયોગ છે ત્યાં સુધી શરીર-ઇન્દ્રિય–ગતિ-કેટલાકભાવો-જન્મનાભદાદિપ્રસંગોઉદ્ભવે છે. જયારે સમ્યગ્દર્શન પામી મોક્ષમાર્ગે ગતિકરતા વીતરાગતા પ્રાપ્ત થશે ત્યારે તે જીવ આપો આપ જ આ બધાંથી મુકત થવાનો અને મોક્ષને પ્રાપ્ત કરવાનો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 194