Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 115
________________ ૧૧૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા તેમાં જીવાત્માઓ દેવપણા કે નારક પણાના શરીરને પામે છે તેને ભવ કહ્યો છે અને તે ભવને આશ્રીને જે અવધિજ્ઞાન થાય છે તે “ભવ પ્રત્યય' કહ્યું. ક્ષયોપશમ નિમિત્ત - જે અવધિજ્ઞાન-જન્મસિધ્ધ નથી. પણ જન્મ લીધા બાદ તપધ્યાન-વ્રતાદિ અનુષ્ઠાનના બળથી પ્રગટ થાય છે તેને “ક્ષયોપશમ નિમિત્ત” અથવા ““ગુણ પ્રત્યય' અવધિજ્ઞાન કહ્યું અહીં ક્ષયોપશમ એ લક્ષણ છે અને જ્ઞાન એ લક્ષ્ય છે. અવધિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કે ઉપશમ થવાથી આ જ્ઞાન પ્રગટે છે, તેમાં ઉદયમાં આવેલાનો ક્ષય અને નહીં ઉદયમાં આવેલાનો ઉપશમ થાય છે. માટે ક્ષયોપશમ નિમિત્તે કહ્યું. ક્ષયોપશમ જ મુખ્ય કારણ છે પછી ભવપ્રત્યય અને ક્ષયોપશમનિમિત્ત ભેદ કેમ? ક્ષયોપશમ એ સામાન્ય કારણ જરૂર છે અને અપેક્ષિત પણ છે, કેમ કે કોઇપણ જાતનું અવધિજ્ઞાન યોગ્ય ક્ષયોપશમ સિવાય થઈ શકતું જ નથી, છતાં અહીં જે ભેદ પાડેલ છે. તે નિમિત્ત જન્ય છે. નિમિત્ત ના વૈવિધ્યને આશ્રીને અહીં ભિન્નતા દર્શાવી છે. નહી કે લયોપશમને ગૌણ કરીને. દેહધારીઓની કેટલીક જાતિ એવી છે જેમાં ભવ નિમિત્તે અર્થાત જન્મ લેતાં જ યોગ્ય ક્ષયોપશમનો આવિર્ભાવ અને તે દ્વારા અવધિજ્ઞાનોત્પતિ થઈ જાય છે. તે જીવોને ન્યુનાધિક રૂપમાં જન્મસિધ્ધ અવધિજ્ઞાન અવશ્ય થાય છે અને તે જીવનપર્યત રહે છે. બીજા કેટલાંક જાતિવાળા એવા છે. જેમાં જન્મ સાથે જ અવધિજ્ઞાન પ્રાપ્તિનો નિયમ નથી. પણ અવધિજ્ઞાન યોગ્ય ક્ષયોપશમનો આવિર્ભાવ થવા માટે તપવગેરે ગુણોનું અનુષ્ઠાન કરવું પડે છે. તેથી એવી જાતિવાળા બધા જીવોમાં અવધિજ્ઞાનનો સંભવ નથી. આ રીતે ક્ષયોપશમ અંતરંગ કારણ હોવા છતાં કોઈ જાતિમાં જન્મ સાથે જ જુઓ સૂત્ર ૨૨માં પ્રાપ્ત થાય છે અને કોઈ જાતિમાં તપ આદિ ગુણોની અપેક્ષા રહે છેજુઓ સૂત્ર ૨૩] માટે ભવ પ્રત્યય અને ક્ષયોપશમ નિમિત્ત એવા બે ભેદ કહ્યાં છે. જે દેહધારીઓમાં કેટલાંકને જન્મ સાથે અને કેટલાંકને ગુણ અપેક્ષાએ અવધિજ્ઞાન થાય એવા બે ભેદ કેમ? સૂત્ર ૨૨ મુજબ દેવ અને નારકને જન્મ સાથે અને મનુષ્ય-તિર્યંચને ક્ષયોપશમાનુસાર અવધિજ્ઞાન થતું હોવાથી આવો સંશય જરૂર થાય કે બધાં જ દેહધારી હોવા છતાં આ ભેદ કેમ? તાર્કિક રીતે સમજાવી શકાય કે કાર્યની વિચિત્રતા અનુભવસિધ્ધ છે. પક્ષી પણ પંચેન્દ્રિય છે. છતાં તે પક્ષી હોવા માત્રથી ઉડી શકે છે. પણ પંચેન્દ્રિય માનવ આકાશમાં ઉડી શકતો નથી. માનવીમાં પણ કેટલાંક સિધ્ધહસ્તલેખક હોય પણ પ્રવચન પ્રભાવના કરી શકે નહીં. પ્રવચન પ્રભાવક હોય પણ તપ સામર્થ્ય નહોય તેમ અહીં પણ દેહધારી અવધિજ્ઞાન માટેભેદ પડેતો નવાઈ શી? નોંધ હાલમાં ભરત ક્ષેત્રમાં અવધિજ્ઞાન થતું નથી. U [8] સંદર્ભઃ૪ આગમ સંદર્ભ(१)से किं तं ओहिनाणं पच्चक्खं ? ओहिनाणं पच्चकखं दुविहं तं जहा भवपच्चयं For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174