Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 137
________________ ૧૩૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા તેમજ તેના ઉત્પાદ વ્યયધ્રૌવ્ય રૂપ સઘળા પર્યાયોને જાણે છે. (૮)લોકાલોક વિષય:- કેવળજ્ઞાની જે સઘળાં દ્રવ્યો અને પર્યાયોને જાણે છે તેમાં માત્ર લોકને જ જાણે છે તેમ નથી. લોક ઉપરાંત અલોકમાં પણ આ જ્ઞાનની પ્રવૃત્તિ છે. એટલે લોક અને અલોક બંને તેની વિષય મર્યાદામાં છે. (૯)અનંત પર્યાય - કેવળજ્ઞાની જેમ જીવ-ધર્મ-અધર્મ-આકાશ-પુદ્ગલ એ પાંચે દ્રવ્યોને જાણે છે તેમ તેના અનંતા પર્યાયોને પણ જાણે છે. એટલે જ પૂર્વેની સર્વપર્યાપુ ની અનુવૃત્તિ ન લેતા અહીંસર્વપર્યાપુ એમ સૂત્રકારે કહ્યું છે. આ રીતે કેવળજ્ઞાનના પર્યાય શબ્દોની સાર્થકતા જણાવી કેવળજ્ઞાનનું વાસ્તવિક સ્વરૂપ અધ્યાય ૧૦ સૂત્ર:૧માં જોવું * જગતના દરેક પ્રાણીમાં જ્ઞાનની માત્રા હોય છે, તે વાત સર્વમાન્ય છે -સર્વવિદિત છે. પણ તે જ્ઞાનની માત્રામાં તરતમતા છે. જ્ઞાનની લઘુતમ કે જધન્ય માત્રાને અક્ષરનો અનંતમો ભાગ કહે છે, જે નિગોદના જીવમાં પણ નિત્ય હોય છે અને જ્ઞાનની ઉત્કૃષ્ટકે મહતમમાત્રાતે સંપૂર્ણ જ્ઞાન જે કેવળજ્ઞાનની ભગવંતોની હોય છે. જગતમાં ત્રણ કાળમાં જેટલો શેયો સંભવી શકેતે સર્વદ્રવ્યો અને સર્વપર્યાયોને જાણનાર કોઈ હોય તો તે માત્ર કેવળજ્ઞાન છે. જ જેમઆરસીમાં આબેહુબ પ્રતિબિંબ પડે છે. તેમ આત્મામાં ત્રણે કાળના સર્વેપદાર્થો તથા સર્વે ભાવોનું એવું વિલક્ષણ-જ્ઞાનીગમ્ય પ્રતિબિંબ પડે છે. તેથી જ તેને સર્વજ્ઞ કહે છે. જ મતિ આદિ ચારે જ્ઞાનો ગમે તેટલાં શુધ્ધ હોય તો પણ તે આત્મશકિતના અપૂર્ણ વિકાસ રૂપ છે. તેથી કોઈ એક વસ્તુના સમગ્ર ભાવોને પણ જાણવામાં અસમર્થ હોય છે. જયારે કેવળજ્ઞાન એ આત્મ શકિતના સર્વોચ્ચ વિકાસ [ઘાતી કર્મ ક્ષય રૂપે પ્રગટ થાય છે તેથી તેમાં કોઈ અપૂર્ણતાજન્ય ભેદ-પ્રભેદ રહેતા નથી. તેથી જ કેવળજ્ઞાનની પ્રવૃત્તિબધાંજ દ્રવ્યો અને બધાંજ પર્યાયોમાં માનેલ છે. જ કેવળજ્ઞાન થતાં જ પહેલે સમયે સમગ્ર લોકાલોકના ત્રણેય કાળના જ સઘળાયે ભાવો છે તે ભાસમાન થાય છે. આજ ભાવો બીજા-ત્રીજા કે કોઈપણ સમયે ભાસમાન થાય છે. આત્માની નિર્મળ જ્ઞાન શકિત જ એવી હોય છે કે જે કાંઈ હોય- જે કંઈ હોઈ શકે તે સર્વેનું તેમાં પ્રત્યેક સમયે પ્રતિબિંબ પડ્યા વિના રહે જ નહીં-રહેતું પણ નથી. કેવળી ભગવંતોનો કેવળ-ઉપયોગ એકધારો-અનંતકાળ સુધી ચાલુજ હોય છે-કદી પણ વિરામ પામતો નથી. જ સર્વ શબ્દ સાથે જોડાયેલા દ્રવ્ય અને પર્યાય શબ્દનો ઇત્તરોત્તર દ્વન્દ સમાસ થયો છે. સર્વ વિશેષણ તેથી છુટા પાડતી વખતે બે પદ બન્યા સર્વ દ્રવ્ય અને સર્વ પર્યાય. વળી દ્રવ્ય અને પર્યાય શબ્દબે છે છતાં સપ્તમી બહુવચન મુકયું તે પણ બધાં દ્રવ્યો અને બધાં પર્યાયો એવો અર્થ સૂચવીને જ કરાયું છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174