Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 156
________________ ૧૫૧ અધ્યાયઃ ૧ સૂત્રઃ ૩૫ શબ્દ અર્થ ક્રિયા દ્રવ્યને વ્યવહાર નિશ્ચય નૈગમ સંગ્રહ વહેવાર ઋજુસૂત્ર શબ્દત્રય. U [10]નિષ્કર્ષ-આ સૂત્રને વ્યવહાર દ્રષ્ટિએ મૂલવીએ તો અપેક્ષાવાદને યાદ કરવો પડશે. વસ્તુના અનંતા ધર્મો અને તે મુજબ અનંત નયો હોવાના. માટે કોઈ એક વાતને આત્યન્તિક સત્ય માની નિર્ણય ન બાંધવો કેમ કે તે મિથ્યા દ્રષ્ટિ રાગ પણા તરફ ખેંચી જશે. બીજું પ્રત્યેક વાતને ખુલ્લા દિલે સ્વીકાર કરવાની કેતટસ્થ ભાવે સાંભળવા-સમજવાની વૃત્તિ જન્મશે. જે ભૌતિક તેમજ આધ્યાત્મિક લાભ અપાવનારી બનશે. નિશ્ચયથી વિચારો તો આત્માની યાત્રા નૈગમનયથી એવંભૂતનય સુધી સુંદરતમ બનશે. (૧)જીવને ગુણ પર્યાયવાનું ગણ્યો. જો આ પર્યાયોને કાપીને નીજ ગુણ પ્રગટાવવા હશે તો સામાન્યમાંથી વિશિષ્ટગ્રાહી નયો જોઇશે. (૨)વ્યવહાર નયે કહ્યા મુજબ આત્મા કર્મનો કર્તા અને ભોકતા છે. આ કર્તાપણામાંથી નિવર્તશું તો નૈગમ નયે કહ્યા મુજબના દ્રવ્યના પર્યાયો કપાશે-અટકશે અનેઋજુ સૂત્રે જણાવેલા જ્ઞાન દર્શનાદિ નિજ ગુણો પ્રગટશે. (૩)શબ્દનયના કહ્યા મુજબ આત્મા અનંતજ્ઞાન-અનંતદર્શન-અનંત ચારિત્રઅનંતવીર્યઆદિગુણે કરીયુકત છે તે સ્થિતિને પ્રાપ્ત કરી પૂર્ણતાને પ્રાપ્ત કરીએતોજનિશ્ચય નયનીચરમ સિમા પમાશે. અધ્યાય - પ્રથમની અભિનવ ટીકા સમાપ્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174