Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 125
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા મનઃપર્યાય જ્ઞાનનું ક્ષેત્ર અને સ્વામીઃ મન:પર્યાય જ્ઞાની મહાત્મા જ્ઞાનના બળથી અઢીદ્વિપ અર્થાત્ મનુષ્યલોકમાં રહેલો સંશિ પર્યાપ્ત પંચેન્દ્રિય પ્રાણીઓએ વિચારેલી વસ્તુઓને જાણી શકે છે. આ જ્ઞાનના સ્વામી અથવા ધારક પ્રમાદ રહિત એવા સાધુઓ જ હોય છે. અવિરતિ અથવા દેશિવરતિધરને આ જ્ઞાન કદાપી થતું નથી. સર્વવિરતિધરને પણ મન:પર્યાય જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થતા આ જ્ઞાન પ્રગટે છે.તીર્થંકર પરમાત્માને આ જ્ઞાન દીક્ષા ગ્રહણ કરે તે સમયથી જ ઉત્પન્ન થઇ જાય છે. ૧૨૦ દેવો-નારકો તિર્યંચો કે ગૃહસ્થોને આ જ્ઞાન કદાપિ થતું નથી. વિશિષ્ટતમ શુધ્ધ પરિણામોથી કદાચ ઘેર બેઠા કેવળજ્ઞાન થયું હોય તેવા દ્રષ્ટાન્ત છે. પણ ગૃહસ્થને દીક્ષા લીધા સિવાય મન:પર્યાય જ્ઞાન કદી થતું જ નથી. જે મન:પર્યાયજ્ઞાન દુવ્યક્ષેત્ર-કાળ અને ભાવાથી-શ્રી નસૂિત્ર અનુસાર (૧)દ્રવ્યથી -ૠજુમતિ અનંત પ્રદેશિક અનંત સ્કંધોને વિશેષ તથા સામાન્યરૂપે જાણે છે. જુએ છે. વિપુલમતિ તે જ સ્કન્ધોને અધિકતર-વિપુલતર-વિશુધ્ધ અને નિર્મળ રૂપે જાણે છે. (૨)ક્ષેત્રથીઃ- ઋજુમતિ જધન્યથી અંગુલના અસંખ્યાત્મા ભાગ માત્ર ક્ષેત્રને તથા ઉત્કૃષ્ટથી નીચે રત્નપ્રભાના ક્ષુલ્લક પ્રતર સુધી ઉપર જયોતિષિના ઉપરના તળ સુધી-તીર્છ અઢીદ્વિપમાં સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત મનોગત ભાવ જાણે-દેખે. વિપુલમતિ તે ક્ષેત્રને અઢી અંગુલ વધારે જીએ-જાણે. તેમજ વિશુધ્ધતર-વિપુલતરનિર્મળતર-તિમિર રહિત જાણે અને જુએ. (૩)કાળથીઃ- ઋજુમતિ જધન્યથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટથી પણ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ-અતીત અનાગત કાળ જાણે અને જુએ. વિપુલમતિ એટલા જ કાળને અધિકતર-વિપુલતર-વિશુધ્ધતર અને નિર્મળ જાણે અને જુએ. (૪)ભાવથીઃ- ઋજુમતિ અનંતા ભાવ જાણે-દેખે-સર્વ ભાવનો અનંતમો ભાગ જાણે-દેખે. વિપુલમતિ તે જ ભાવ અધિકતર વિશુધ્ધ અને નિર્મલ જાણે તથા જીએ. [નોંધઃ- શ્રી નંદિસૂત્ર ૨૭-૨૮-૨૯માં મનઃપર્યાયજ્ઞાનનું સુંદર વર્ણન છે.] [] [8]સંદર્ભ: આગમ સંદર્ભ: (१)मणपज्जवणाणे, दुविहे पण्णते, तं जहा उज्जुमति चेव विउलमति चेव* સ્થાનાંગસૂત્રસ્થાન-૨ ઉદ્દેશો ૧ સૂત્ર૭૧/૧૬ (૨)તા ૬ ટુવિદ્ ઉપન્નર, તે ના કન્તુમડ્ ય વિમા ય બ નંદિસૂત્રઃ૧૮ ૪ અન્યગ્રંથ સંદર્ભ: (૧)કર્મગ્રંથ પહેલો ગાથા ૮ ઉત્તરાર્ધ ] [9]પધઃ આ બંને પઘો-સૂત્ર ૨૪ અને ૨૫ના સંયુકત પઘો છે. ૠજુમતિને વિપુલમતિ મન:પર્યવ છે દ્વિધા For Private & Personal Use Only (૧) Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174