Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૧ સૂત્રઃ ૨૩
૧૧૫ થાંભલા પર ગોઠવેલા દીવાનું પણ અહીં ઉદાહરણ આપે છે. દીવો હોય ત્યાં પ્રકાશ કરે પણ બીજે સ્થળે તેને લઈ જઈ શકાય નહીં તેમ અવધિજ્ઞાન બીજે જાય નહીં. - સિધ્ધસેનીયટીકામાં નોંધ્યું છે કે-જેમકાયોત્સર્ગાદિ ક્રિયાપરિણતઆત્માને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું, તે તે સ્થાનેથી બીજે ન જાય ત્યાં સુધી અવધિજ્ઞાન રહે તેવું કયારેક બને છે. અન્ય સ્થાને જતાં નાશ પામે છે.
(૩)હીયમાનક - હીતે મેળ ખીમતિ વત
પહેલાં શુભ પરિણામને કારણે ઘણું ઉપજે પણ તથાવિધ સામર્થ્યના અભાવે પડતા પરિણામે કરીને ઘટતું જાય તેને હીયમાનક અવધિજ્ઞાન કહ્યું.
જેમ અગ્નિની જવાળા સળગતી હોય, તેમાં વારંવાર લાકડા નાખવાનું તદ્દન બંધ કર્યા પછી ધીમેધીમે અગ્નિની જાળ બુઝાઈ જાય છે તેમ પડતા પરિણામે અવધિજ્ઞાન ઘટતું જાય છે.
જે અવધિજ્ઞાન અસંખ્યદ્વીપો-સમુદ્દો-પૃથ્વીઓ-વીમાનોમાં, ઉર્ધ્વ-અધોકેતીછઉત્પન્ન થયું હોય અને અનુક્રમે ઘટતાં ઘટતાં અંગુલના અસંખ્યાતમાં ભાગ સુધી ઘટીને રહે અથવા તદન ચાલ્યું જાય તે હીયમાનક.
(૪)વર્ધમાનકઃ-જેમ અગ્નિ ઉત્પન્ન કરી તેમાં સુકાલાકડા પાંદડા નાંખીએ-વધુને વધુ લાકડા નાંખતા જઈએ ત્યારે જેમ અગ્નિનો ભડકો વધતો જાય છે તેમ અવધિજ્ઞાન અંગુલના અસંખ્યાતમાં ભાગથી માંડીને કોઈપણ માપથી ઉત્પન્ન થયેલું હોય તે વધતા વધતાયાવત સર્વ લોક સુધી વધતું જાય તે વર્ધમાનક અવધિજ્ઞાન.
અહીં અવધિજ્ઞાન ઉત્પન્ન થયા બાદ પ્રશસ્ત અને અતિ પ્રશસ્તતર અધ્યવસાય થતાં ક્રમશઃ તે અવધિજ્ઞાન વધતું જાય છે.
(૫)અવસ્થિતઃ-પુરૂષ કે સ્ત્રી ચિહની માફક જે અવધિજ્ઞાન જેટલા ક્ષેત્રમાં અંગુલના અસંખ્યાતમાં ભાગથી લોકપર્વતનું ઉત્પન્ન થયું હોય તેટલાથી કેવળજ્ઞાન પ્રાપ્ત થાય ત્યાં સુધી અથવા મરણ પર્યત અથવા બીજા જન્મો સુધી પણ સ્થિર રહેતે અવસ્થિત અવધિજ્ઞાન જાણવું.
આ જ્ઞાનનો એક પ્રકાર છે-પરમાવધિ-એ પરભાવધિની ઉત્પત્તિ બાદઅંતર્મુહૂર્તમાં જ કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે.
અથવા આ અવધિજ્ઞાન જીવનપર્યત રહે છે. જન્માંતરમાં પણ સાથે જાય છે. આ અવસ્થિત જ્ઞાનને અપ્રતિપાતી એટલે કાયમ રહેનાર” પણ કહ્યું છે.
(૬)અનવસ્થિતઃ-પાણીમાં ઉછળતા મોજાંઓની માફકજેઅવધિજ્ઞાન ઘટીને વધી જાય અને વધીને ઘટી જાય, વારંવાર ચાલ્યુ જાય અને વારંવાર ઉત્પન્નપણથાયતે અનવસ્થિત અવધિજ્ઞાન.
આ જ્ઞાનને પ્રતિપાતિ એટલે કે “આવીને નાશ પામનારે' અથવા અનિયત પણ કહ્યું છે.
આવા છ મુખ્ય ભેદ કહ્યાં. બાકી તેના અસંખ્ય ભેદ હોવાનું વિધાન છે. જ્ઞાનપંચમીના દેવવંદનમાં અવધિજ્ઞાન ના પ્રથમ દુહામાં પણ તે વાત વણી લીધી છે.
“અસંખ્ય ભેદ અવધિતણા, ષ તેહમાં સામાન્ય જ શેષા–અર્થાત સૂત્રઃ૨૨માં કહેલા ભેદને વર્જીને ચારગતિમાં દેવ અને નારકને ભવ પ્રત્યય છે. તે સિવાયના બે અર્થાત માનવ અને તિર્યંચને ક્ષયોપશમ જન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org