Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 723
________________ ६७६ तत्त्वन्यायविभाकरे ત્રણ, માયાશલ્ય-નિયાણશલ્ય-મિથ્યાત્વશલ્યના પરિહારરૂપ ત્રણ, ક્રોધ-માન-માયા-લોભના પરિહારરૂપ ચાર, પૃથ્વીકાય-અપકાય તેઉકાય-વાયુકાય-વનસ્પતિકાય-ત્રસકાયના રક્ષણરૂપ છે; એમ ભાવપૂર્વક, વચનના ઉચ્ચારણપૂર્વક પોતાના અંગના પ્રમાર્જનરૂપ જે પ્રતિલેખના પચીશરૂપ છે, તે ઉપલક્ષણથી જાણવી. વિવેચન – સ્પષ્ટ હોવાથી ટીકા નથી. હવે આર્તધ્યાન અને રૌદ્રધ્યાનની પરંપરાસર્જક કલ્પનાઓના સમૂહના વિયોગરૂપ, શાસ્ત્રને અનુસરનારી, પરલોકની સાધિકા, ધર્મધ્યાનની પરંપરાકારક, માધ્યસ્થ પરિણતિરૂપ, કુશલ-અકુશલ મનોવૃત્તિના નિરોધથી યોગનિરોધની અવસ્થામાં થનારી આત્મારામ આત્મક મનોગુપ્તિનું અર્થસૂચક અંગની ચેષ્ટાના પરિહારપૂર્વક, વાણીના અભિગ્રહરૂપ (મૌનધારણરૂપ) વાચનાપૃચ્છના-બીજાએ પૂછેલા અર્થના પ્રત્યુત્તર આદિમાં લોક અને આગમના અવિરોધપૂર્વક, મુહપત્તિથી આચ્છાદિત મુખ રાખી ભાષણરૂપ વચનગુપ્તિનું, દેવ-મનુષ્ય વગેરેના ઉપસર્ગનો સદ્ભાવ છતાં, ભૂખતરસ આદિનો સંભવ છતાં કાયોત્સર્ગ કરવા આદિપૂર્વક, નિશળતાકરણરૂપ, અથવા સર્વથા કાયચેષ્ટાના નિરોધરૂપ તેમજ ગુરુને પૂછવાપૂર્વક શરીર-સંથારો-ભૂમિ આદિના પ્રતિલેખન-પ્રમાર્જન આદિ રૂપ, શાસ્ત્રમાં કહેલ ક્રિયાકલાપપૂર્વક શયન આદિ રૂપ કાયગુપ્તિનું પહેલાં જ પ્રાયઃ નિરૂપણ કરેલું હોવાથી, અહીં નિરૂપણ પુનરુક્ત પ્રાય છે એમ માનીને કહે છે. प्रागुपदर्शिता गुप्तयस्तिस्रः ॥५६ ॥ प्रागिति । संवरनिरूपणे उपदर्शिता इत्यर्थः । ત્રણ ગુપ્તિઓ ભાવાર્થ – “ત્રણ ગુપ્તિઓ પહેલાં દર્શાવેલ છે.” વિવેચન – પહેલાં એટલે સંવરનિરૂપણમાં ત્રણ ગુપ્તિઓ દર્શાવેલ છે. अथाभिग्रहमाख्याति - साधुनियमविशेषोऽभिग्रहः । स च द्रव्यक्षेत्रकालभावतश्चतुर्विधः ॥ ५७॥ . साध्विति, अभिगृह्यन्ते साधुभिर्नियमविशेषा द्रव्यादिभिरनेकप्रकारास्तेऽभिग्रहाः, तथा च साधूनां नियमविशेषोऽभिग्रहो यथेत्थमाहारादिकममीषां कल्पते नेत्थंभूतमित्येवंरूप इति भावः । द्रव्यक्षेत्रकालभावविशेषप्रयुक्तत्वात्स चतुर्विधो भवतीत्याशयेनाह स चेति ॥ અભિગ્રહનું નિરૂપણ ભાવાર્થ – “સાધુઓના નિયમવિશેષને “અભિગ્રહ' કહે છે. વળી તે અભિગ્રહ દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવથી ચાર પ્રકારનો છે.” વિવેચન – સાધુઓ વડે જે નિયમવિશેષો, દ્રવ્ય આદિથી અનેક પ્રકારના અભિગૃહીત કરાય છે, તે અભિગ્રહો' કહેવાય છે. તથા સાધુઓનો નિયમવિશેષરૂપ અભિગ્રહ, જેમ આવી રીતે આહાર આદિ આ

Loading...

Page Navigation
1 ... 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776