Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 750
________________ द्वितीयो भाग / सूत्र - २१, तृतीयः किरणे ૭૦૩ અસંખ્યાતા સ્થાન પામે છે, કેમ કે તુલ્ય અધ્યવસાય છે, એમ સમજવું. હીનપરિણામી હોવાથી અટકી જાય છે, એમ જાણવું. ‘ષયકુશીલતુ' ! અહીં તુ શબ્દથી પુલાક બુચ્છિન્ન હોવા છતાં ‘ ઇતિ, એકલો ચડે છે, કેમ કે-શુભતરપરિણામી છે. “નિર્વાતિ ,' સમસ્ત કર્મક્ષયરૂપ મોક્ષને પામે છે. (વિવિધ સંયમસ્થાનોમાંથી સૌથી જઘન્ય સંયમસ્થાનો પુલાક અને કષાયકુશીલનાં હોય છે. એ બંને તુલ્ય અધ્યવસાયને લીધે અસંખ્યાત સ્થાનો સુધી સાથે જ વધતાં જાય છે. ત્યારબાદ હીનપરિણામને લઈને પુલાક અટકે છે. તેઓ આગળ વધી શકતાં નથી. આથી કષાયકુશીલ વર્ધમાન પરિણામને લીધે એકલો અસંખ્યાત સ્થાનો સુધી ચડ્યું જાય છે. ત્યારબાદ કષાયકુશીલ, પ્રતિસેવનાકુશીલ અને બકુશ એકીસાથે અસંખ્ય સ્થાનો સુધી આગળ વધે છે. ત્યારપછી બકુશ અટકે છે. ત્યારબાદ અસંખ્ય સ્થાનો ચડી પ્રતિસેવનાકુશીલ અટકે છે અને ત્યારપછી અસંખ્યાત સ્થાનો ચડી કષાયકુશીલ અટકે છે. ત્યારબાદ અકષાય યાને કેવળ યોગનિમિત્તક સ્થાનો આવે છે. એ પૈકી કેટલાકને પ્રાપ્ત કરવાની તાકાત અને લાયકાત નિગ્રંથમાં છે. તેઓ આવાં અસંખ્યાત સ્થાનો સેવી અટકે છે, ત્યાર પછી અજોડ-અંતિમ-અનુત્તર તેમજ અત્યંત વિશુદ્ધ અને સ્થિર એવું સંયમસ્થાન આવે છે. એને સેવીને સ્નાતક નિર્વાણપદને પામે છે. ઉપરોક્ત અસંખ્યાત સ્થાનોમાં દરેકમાં પૂર્વ કરતાં પછીના સ્થાનની શુદ્ધિ અનંતગુણી છે. સંયમલબ્ધિ (સંયમસ્થાનપ્રાપ્તિ) અનંતાનંતગુણી હોય છે. સંકષાયના અસંખ્યાત સંયમસ્થાનો હોય છે. સકષાયને સંકલેશ અને વિશુદ્ધિઓ અવયંભાવી છે.) ૦ તે મોક્ષ સમસ્ત નયના ઈષ્ટ અર્થરૂપ છે. વળી જૈનદર્શનમાં છ દર્શનોની સમૂહમયતા સંમત છે. તે આ પ્રમાણે-ઋજુસૂત્ર આદિ નયોએ “જ્ઞાન-સુખ-આદિ પરંપરા મુક્તિ માનેલ છે, કેમ કે તેઓ ઉત્તર ઉત્તર વિશુદ્ધ પર્યાય માત્રના સ્વીકાર કરનારાઓ છે. ક્ષણવિદ્યમાનપણાએ જ્ઞાન આદિમાં ક્ષણરૂપતાની સિદ્ધિ છે, કેમ કે-ક્ષણવિદ્યમાનતામાં ક્ષણતાદામ્યનું નિયતપણું છે, કેમ કે-ક્ષણસ્વરૂપમાં તે પ્રકારનું દર્શન છે. સંગ્રહનયથી તો આવરણના ઉચ્છેદથી, વ્યંજનાથી ગમ્ય (અર્થાતુ) “સુખ' મુક્તિ છે, એમ સ્વીકાર કરાય છે. વ્યવહારનયથી પ્રયત્નથી સાધ્ય કર્મોનો ક્ષય “મુક્તિ', એમ મનાય છે. દુઃખના હેતુનાશના ઉપાયની ઇચ્છાના વિષય(ઇસ્ટ)પણાએ પરમ પુરુષાર્થ હોઈ, દુઃખના ઉપાયના નાશના હેતુભૂત જ્ઞાન આદિમાં પ્રવૃત્તિ થાય છે જ. અંતમાં આ ગ્રંથના નિર્વાણપદના નિર્દેશથી પર્યત મંગલ પણ શિષ્ય-પ્રશિષ્ય પરંપરાથી આ ગ્રંથના અવિચ્છેદ ફળવાળું બાધેલું છે, એમ સૂચિત કરેલ છે. આ ગ્રંથમાં સઘળા વિષયો પૂર્ણપણાએ બતાવેલા નથી પરંતુ લેશથી જ બતાવેલા છે. આવા આશયથી કહે છે કે-“વિ ઇતિ. આ માત્ર દિશાદર્શન છે. પુલાક આદિ ચારિત્રીઓનું નિરૂપણનું નિગમન કરે છે ઇતિ. सम्यक्चरणनिरूपणमपि निगमयति - जिज्ञासूनां यथाशास्त्रं सम्यक्चरणमीरितम् । स्वरूपेण विधानेन सम्यग्ज्ञानाभिवृद्धये ॥ २१ ॥ जिज्ञासूनामिति । जैनतत्त्वज्ञानाभिलाषिणामित्यर्थः, यथाशास्त्रमिति, शास्त्रमर्यादामनुल्लङ्घयेत्यर्थः, सम्यक्चरणमीरितमिति, चर्यते मुमुक्षुभिरासेव्यत इति चरणं यद्वा चर्यते प्राप्यते परं पारं भवोदधेरनेनेति चरणं व्रतश्रमणधर्मादिरूपं, सम्यगविपरीतं मोक्षसिद्धि प्रतीत्यानुगुणं यच्चरणं तदीरितं कतितमित्यर्थः, कथमित्यत्राह स्वरूपेण विधानेनेति, लक्षणेन

Loading...

Page Navigation
1 ... 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776