Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text ________________
૬૮૪
तत्त्वन्यायविभाकरे देहस्येति । अङ्गोपाङ्गसंघातरूपस्य देहस्य वस्त्रपात्राद्युपकरणानाञ्चालङ्करणेऽनुवर्तनशीलः, अष्टाविंशतिविधमोहनीयक्षयाकांक्ष्यपि ऋद्धियशस्कामत्वात् सुखशीलतावाप्तिव्यापारप्रवणत्वाच्चाहोरात्राभ्यान्तरानुष्ठेयासु क्रियासु नितरामनुद्यततया चरणपटस्य विशुद्ध्यविशुद्धिसंकीर्णस्वभावतामापादयतीति कर्बुरत्वाद्बकुश उच्यत इत्यर्थः, तत्प्रभेदमाह शरीरेति । शरीरबकुशं निरूपयति, अनागुप्तेति, मलनिस्सारणेति, मलानां दूरीकरणं दन्तानां धावनं केशानां च संस्कारः, इत्यादीनामनुष्ठातेत्यर्थः, अयं मूलगुणान्न विराधयति उत्तरगुणांस्तु भ्रंशयति, उपकरणबकुशमाह श्रृंगारायेति, विभूषार्थं दण्डपात्रकादि तैलादिनोज्जवलीकृत्य ग्रहणप्रवणः, अकाल एव प्रक्षालितचोलपट्टकान्तरकल्पादिः प्रभूतवस्त्रपात्रादिकामुक उपकरणबकुश इति भावः ॥
બકુશનું વર્ણન ભાવાર્થ – “શરીરના અથવા ઉપકરણોના અલંકાર-શોભાની અભિલાષા કરનારા અને ચારિત્રને મલિન કરનારો “બકુશ' કહેવાય છે. તે બકુશ શરીર અને ઉપકરણના ભેદથી બે પ્રકારનો છે. અનાગુપ્ત સિવાય ભૂષણ માટે, હાથ-પગ વગેરેનું પ્રક્ષાલન, આંખ આદિના મલનું કાઢવું, દાંત ધોવા અને કેશના સંસ્કાર વગેરેનો કર્તા “શરીરબકુશ' કહેવાય છે. શૃંગાર માટે, તેલ આદિથી દંડ-પાત્ર વગેરેને ઉજ્જવળ કરી પ્રહણના સ્વભાવવાળો ‘ઉપકરણબકુશ' કહેવાય છે.”
વિવેચન – અંગ અને ઉપાંગના સંઘાતરૂપે દેહને અને વસ્ત્ર-પાત્ર આદિ ઉપકરણોને શણગારવામાં વર્તનારા, અઠ્ઠાવીશ પ્રકારના મોહનીયના ક્ષયના આકાંક્ષી હોવા છતાં ઋદ્ધિ અને યશકીર્તિની કામનાવાળા હોવાથી, સુખશીલતાની પ્રાપ્તિના વ્યાપારમાં પરાયણ હોવાથી, તેમજ રાત-દિવસ અત્યંતર (આધ્યાત્મિક) કરણીય ક્રિયાઓમાં બિલકુલ આળસુ હોવાથી ચારિત્રરૂપી પટને વિશુદ્ધિ અને અવિશુદ્ધિ મિશ્રિત સ્વભાવવાળું બનાવે છે. આમ કાબરચિતરું-રંગરંગીલું કરનાર હોવાથી “બકુશ' કહેવાય છે.
૦ શરીરબકુશ-ગુપ્તેન્દ્રિય જે નથી ચારેય બાજુથી જે ગુપ્ત નથી, તેવા અનાગુપ્ત સિવાય શોભા માટે હાથ-પગ વગેરેનું પ્રક્ષાલન, નેત્ર આદિના મલને કાઢવા અર્થાત્ મેલને દૂર કરવું, દાંતોનું ધોવું અને કેશોના સંસ્કાર ઇત્યાદિ ક્રિયાઓનો કરનાર “શરીરબકુશ' કહેવાય છે. આ મૂલગુણોનો વિરાધક નથી થતો પરંતુ ઉત્તરગુણોનો નાશક બને છે.
૦ ઉપકરણબકુશ-વિભૂષા માટે દંડ-પાત્ર આદિને તેલ વગેરેથી ઉજ્જવળ કરી ગ્રહણમાં પરાયણ, અકાળમાં જ ચોળપટ્ટો-આંતરકલ્પ (ચાદર) વગેરેનો ધોનારો, તેમજ ઘણાં વસ્ત્ર-પાત્ર આદિની કામના રાખનારો “ઉપકરણબકુશ' કહેવાય છે.
बकुशमेव प्रकारान्तरेण विभज्य दर्शयति -
पुनरपि बकुशः पञ्चविधः, आभोगानाभोगसंवृतासंवृतसूक्ष्मभेदात् शरीरोपकरणानामलंकारस्साधूनामकार्य इति ज्ञानवान् कर्ता च बकुश आभोगबकुशः ।
Loading... Page Navigation 1 ... 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776