Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 745
________________ ६९८ तत्त्वन्यायविभाकरे तीर्थद्वारमाह - पुलाकादयस्सर्वे सर्वेषां तीर्थकृतां तीर्थेषु भवन्ति ॥ १६ ॥ पुलाकादय इति । तरन्त्यनेनेति तीर्थं प्रवचनं प्रथमगणधरो वा, तीर्यतेऽनेनेति वा तीर्थं सङ्घो ज्ञानदर्शनचारित्रगुणयुतः, प्रवचनमपि श्रुतज्ञानरूपत्वात्तीर्थमेव, तत्र जैनमेव तीर्थं अभिप्रेतार्थसाधकं, सम्यक्श्रद्धानोपलब्धिक्रियात्मकत्वाद्यदेवं तदेवं यथा सम्यक्परिच्छेदवती रोगापनयनक्रिया यन्नैवं तत्तु नैवं यथोन्मत्तप्रयुक्तक्रिया । नेतरेषां तीर्थानि अभिप्रेतफलानि, समग्रनयविकलत्वात्, विफलक्रियावत्, यथा भिषक्प्रतिचारकातुरौषधाद्यन्यतमाङ्गविफला क्रिया न सम्पूर्णाभिप्रेतफलसाधनभूता तथैतदन्यतीर्थान्यपीति । तीर्थेषु भवन्तीति, तत्त्वार्थभाष्यानुसारेणेदम्, भगवत्यान्तु पुलाकबकुशप्रतिसेवनाकुशलास्तीर्थे एव, कषायकुशीलनिर्ग्रन्थस्नातकास्तु तीर्थे वाऽतीर्थे वा भवन्ति, कषायकुशीलः छद्मस्थावस्थायां तीर्थकरोऽपि स्यात्तदपेक्षया, तीर्थव्यवच्छेदे तदन्योऽप्यसौ स्यादिति तदन्यापेक्षया चातीर्थेऽपि स्यादिति ॥ તીર્થદ્વાર ભાવાર્થ – “પુલાક આદિ સઘળા ચારિત્રીઓ સઘળા તીર્થકરોના તીર્થોમાં હોય છે-થાય છે.” વિવેચન – તીર્થ-જેના વડે જીવો તરે છે, તે તીર્થ એટલે પ્રવચન કે પ્રથમ ગણધર, અથવા જેના વડે તરાય, તે તીર્થ એટલે જ્ઞાન-દર્શન-ચારિત્ર સહિત સંઘ. પ્રવચન પણ શ્રુતજ્ઞાનરૂપ હોવાથી તીર્થ જ છે. ત્યાં જૈન તીર્થ જ ઇષ્ટપુરુષાર્થ સાધક છે, કેમ કે-સમ્યફ શ્રદ્ધા-ઉપલબ્ધિ (જ્ઞાન) અને ક્રિયા આત્મક છે. જે આ પ્રમાણે છે, તે આ પ્રમાણે જ છે. જેમ કે-સમ્યજ્ઞાનવાળી રોગ દૂર કરવાની ક્રિયા. જે આ પ્રમાણે નથી, તે તે પ્રમાણે નથી. જેમ કે-ઉન્મત્તજન્ય ક્રિયા. ૦બીજાઓના તીર્થો ઇષ્ટફળસાધક નથી, કેમ કે-સમસ્ત નયોથી રહિત છે. જેમ કે-નિષ્ફળ ક્રિયા. જેમ વૈદ્ય-પરિચારક-આતુરના ઔષધ આદિમાંથી કોઈ અંગથી રહિત ક્રિયા સંપૂર્ણ ઇષ્ટફળસાધનભૂત થતી નથી, તેમ જૈન તીર્થથી અન્ય તીર્થો પણ તેવાં જાણવાં. તીર્થેષ મવતિ' ! આવું વિધાન તત્ત્વાર્થભાષ્યના અનુસારે જાણવું. ભગવતીમાં તો પુલાક-બકુશપ્રતિસેવનાકુશીલો તીર્થમાં જ હોય છે. કષાયકુશીલ-નિગ્રંથ-સ્નાતકો તો તીર્થમાં કે અતીર્થમાં હોય છે-થાય છે. કષાયકુશીલ છદ્મસ્થ અવસ્થામાં તીર્થંકર પણ હોઈ શકે. તે અતીર્થની અપેક્ષાએ, તીર્થવ્યવચ્છેદમાં તે તીર્થંકરથી ભિન્ન પણ આ કષાયકુશીલ હોય! માટે તે તીર્થકર ભિન્નની અપેક્ષાએ અતીર્થમાં પણ થાય! આ કષાયકુશીલ આદિ ત્રણ કદાચિત્ (તીર્થની અનુત્પત્તિ કે વિચ્છેદરૂપ) અતીર્થમાં પણ મરૂદેવા વગેરે સંભવી શકે છે.

Loading...

Page Navigation
1 ... 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776