________________
કરતાં રાજા બલમિત્રનો સર્વ ભંડાર ખાલી થઈ ગયો. પછી મંત્રીની સલાહ પ્રમાણે સાતવાહન રાજાએ કિલ્લો કબજે કરી, બલમિત્રનો નિગ્રહ કરી સ્વનગર તરફ પ્રયાણ કર્યું.
એ પ્રમાણે સાતવાહન રાજા પોતાનું રાજ્ય ચલાવતો હતો. તેવામાં એક વખત રાજમહેલના દરવાજાની પાસે શાસ્ત્રસંક્ષેપથી બોલનારા ચાર કવિ આવ્યા. એટલે પ્રતિહારે રાજાને પૂછી અંદર જવા રજા આપી. રાજાની પાસે આવી આ પ્રમાણે એક શ્લોક બોલ્યા કે –
जीर्णे भोजनमात्रेयः, कपिलः प्राणिनां दया । ગૃહસ્થતિરવિશ્વાસ:, પાંવાત: સ્ત્રીપુ માર્વવત્ II 8 | અર્થ – આત્રેય ઋષિએ ખાધેલું અનાજ પચ્યા પછી નવું ભોજન કરવું એમ કહેલું છે. કપિલ ઋષિએ સર્વ જીવોની ઉપર દયા ભાવ રાખવો એમ કહેલું છે. બૃહસ્પતિએ કોઈનો વિશ્વાસ ન કરવો એમ કહ્યું છે. તથા પાંચાલ કવિ કહે છે કે સ્ત્રીઓની સાથે મૃદુતા (કોમળ સ્વભાવ) રાખવી. આ શ્લોક સાંભળીને રાજાએ ખુશ થઈ ઘણું દાન આપ્યું. ત્યારે તે કવિવરોએ રાજાને પૂછ્યું કે તમારો પરિવાર અમારી પ્રશંસા કેમ કરતો નથી ? એ સાંભળી રાજાએ ભોગવતી નામની વેશ્યાને કહ્યું કે તું આ કવિજનોના વખાણ કર ! ત્યારે તે બોલી કે આચાર્ય શ્રીપાદલિપ્ત વિના હું બીજા કોઈની સ્તુતિ કરતી નથી, કારણ કે તે જ સૂરિજી મહારાજ આકાશમાર્ગે ચાલવાને સમર્થ છે, વિદ્યાસિદ્ધ છે, અને મહાકિયાયુક્ત છે.
એવામાં સંધિ-વિગ્રહ કરાવનાર, મહાઅભિમાની અને પાદલિપ્તસૂરિજીની પ્રશંસાને સહન નહિ કરનાર શંકર નામનો એક રાજપુરુષ કહેવા લાગ્યો કે જેના પ્રભાવથી મરેલો જીવતો થાય, તેના
શ્રી સ્તંભન પાર્શ્વનાથ જ ૧૪