Book Title: Stambhan Parshwanath
Author(s): Vijaypadmasuri
Publisher: Stambhan Parshwanath 700 Varsh Ujvani Samiti

View full book text
Previous | Next

Page 36
________________ જે વાંસની ઝાડીમાં પ્રકટપ્રભાવી શ્રી પાર્શ્વનાથની પ્રતિમાનું કેવલ મુખ જ દેખાતું હતું તે સ્થળે એક ગોવાલની ગાય, ભવિતવ્યતાના યોગે, દૂધ ઝરતી હતી. હમેશાં દોહવાના સમયે ગોવાળ ગાય દોહે પણ લગાર પણ દૂધ ન નીકળે. ઘણો સમય એમ થવાથી ગોવાલે જંગલમાં નદીના કાંઠે તપાસ કરી. તો જાણ્યું કે એ સ્થલે ગાય દૂધ ઝરતી હતી. કારણને શોધતાં ગોવાળે સેઢી નદીના કાંઠાની જમીનમાંથી એ બિંબ મેળવ્યું. “ક્યા દેવ છે ?” એનો નિર્ણય પોતે કરી શક્યો નહીં, જેથી તેણે બીજા જૈન આદિ લોકોને પૂછ્યું. તેમાં જૈનોએ ખાતરીપૂર્વક કહ્યું કે એ શ્રી પાર્શ્વનાથનું બિંબ છે. ગોવાળ આ બિંબને જોઈને ઘણો જ રાજી થયો. શ્રાવકોએ ગોવાલને દ્રવ્યાદિથી સંતોષ પમાડીને પ્રતિમા સ્વાધીન કરી. આ બાબતમાં ઉપદેશપ્રાસાદમાં તથા વિવિધ તીર્થકલ્પમાં એમ કહ્યું છે કેશ્રીઅભયદેવસૂરિ મહારાજે આ બિંબને પ્રકટ કર્યું તે વૃત્તાંત આ પ્રમાણે જાણવું. આચાર્ય શ્રી અભયદેવસૂરિ અને શ્રી સ્તંભના પાર્શ્વનાથ જંબૂદ્વીપમાં શ્રીમાલવદેશની ધારાનગરીમાં ભોજ રાજા રાજ્ય કરતો હતો. તે નગરીમાં લક્ષ્મીપતિ નામે એક મહાધનિક વ્યાપારી હતો. શ્રી સ્તંભન પાર્શ્વનાથ ૨૮

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56