________________
પેશાવરની પાસે તાયફા લોકના પ્રદેશમાં રહેનારા જૈનો એમ પણ જણાવે છે કેઃ– “આ બાજુ નાગાર્જુન પર્વતની પાસે પૂર્વે શ્રી પાર્શ્વનાથનું મંદિર હતું. જેની નજીકમાં સેઢી નદી વહેતી હતી. પાર્શ્વપ્રભુના બિંબના પ્રભાવે નદી દૂર વહેવા લાગી. આ સ્થળે નાગાર્જુને કોડીવેધી સોનાસિદ્ધિના રસને મેળવ્યો, એમ પરંપરાએ અમે સાંભળ્યું છે.’
૨૭ શ્રી સ્તંભન પાર્શ્વનાથ