________________ નંદીવર્ધને પ્રભુની હયાતીમાં ભરાવી હતી અને ૧૮૮૫ની સાલમાં જે બિંબની પ્રતિષ્ઠા થઈ હતી, તે બિંબ મૂલનાયક તરીકે છે. જ્યાં શાસન પ્રભાવક જંગડુશાહ, જાવડશાહ આદિ મહાશ્રાવકો થયો છે, અને જે મારા ગુરુવર્યની જન્મભૂમિ છે, તે શ્રી મધુમતી (મહુવા) નામની પ્રાચીન નગરીમાં ગુરુ મહારાજ શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મહારાજના પસાયથી વિક્રમ સંવત ૧૯૯૨ના કાર્તિક સુદ પંચમીને દિવસે પૂર્વે બનાવેલા સંસ્કૃત શ્લોકબદ્ધ ચરિત્રના ક્રમ પ્રમાણે આ ચરિત્ર બનાવ્યું. આ ચરિત્ર બનાવવાથી ઉત્પન્ન થયેલા પુણ્યવડે હું એ જ ચાહું છું કે સર્વે જીવો શ્રી સ્તંભન પાર્શ્વનાથની સાત્ત્વિક ભક્તિ કરી મુક્તિ પદ પામો. ગુજરાતી પદ્યમાં (પાંચ ઢાળ રૂપે) આ ચરિત્રને ટુંકામાં જાણવાની ઇચ્છાવાળા જીવોએ શ્રી મહાવીર પંચકલ્યાણક પૂજાદિ સંગ્રહમાં સ્તંભપ્રદીપ છપાયો છે તે જોઈ લેવો. 1. આ બુક, શેઠ માણેકલાલ મનસુખભાઈ સંઘવીએ ૧૯૭૯ની સાલમાં છપાવી હતી. શ્રી સ્તંભન પાર્શ્વનાથ દ 48