Book Title: Stambhan Parshwanath
Author(s): Vijaypadmasuri
Publisher: Stambhan Parshwanath 700 Varsh Ujvani Samiti

View full book text
Previous | Next

Page 49
________________ બંધાવવા માટે એક લાખ રૂપિયા ભેગા થયા. અને ગામના મુખ્ય લોકોએ ત્યાં દેવાલય બાંધવાની હા પાડી. શ્રી મલ્લવાદિ-શિષ્યના શ્રાવકોએ ત્યાંના રહીશ આત્રેશ્વર અને બુદ્ધિનિધાન મહિષ નામના કારીગરોને ચૈત્ય બાંધવાનું કામ સોંપ્યું. થોડા જ સમયમાં તે કામ પૂર્ણ થયું. તે કામના ઉપરીને દ૨૨ોજ પગાર તરીકે એક દ્રમ્પ આપવામાં આવતો હતો. તેમાંથી થોડું ભોજનાદિના ખર્ચમાં વાપરતાં બાકીના બચેલા દ્રવ્ય વડે તેણે ચૈત્યમાં પોતાના નામની એક દેવકુલિકા કરાવી, કે જે 'હાલ પણ હયાત છે. પછી શુભ મુહૂર્તો અભયદેવસૂરિજીએ ત્યાં બિંબની પ્રતિષ્ઠા કરી. તે જ દિવસે રાતે ધરણેન્દ્રે આવીને સૂરિજીને વિનંતિ કરી કે-મારા ઉપર કૃપા કરી આપ આ સ્તવનમાંની છેલ્લી બે ગાથાઓ ગોપવી રાખો. સૂરિજીએ તેમ કરી ત્રીસ ગાથા કાયમ રાખી. ત્યારથી તે સ્થળ તીર્થ તરીકે ગણાયું. જન્મકલ્યાણકના મહોત્સવમાં પ્રથમ ધોળકાના મુખ્ય શ્રાવકે જળ કળશ લઈને ભગવંતને અભિષેક કર્યો. ત્યાં બિબાસનના પાછળના ભાગમાં ઐતિહાસિક અક્ષર પંક્તિ પૂર્વે લખવામાં આવેલ છે, એમ લોકોમાં સંભળાય છે. શ્રી જિનેશ્વરસૂરિ તથા બુદ્ધિસાગરસૂરિ ચિરકાલ સંયમજીવન પાળી છેવટે અનશન કરીને સ્વર્ગે ગયા. શ્રી અભયદેવસૂરિ મહારાજાએ પ્રથમ ઉપાંગ શ્રીઔપપાતિક સૂત્રની અને પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજીએ બનાવેલ શ્રી પંચાશકશાસ્ત્રની ઉપર અપૂર્વ વિદ્વત્તાભરેલી ટીકા બનાવી છે. શ્રી અભયદેવસૂરિના અને શ્રી સ્તંભન પાર્શ્વનાથના સંબંધમાં શ્રી ઉપદેશપ્રાસાદને અનુસારે આ વૃત્તાંત છે—આચાર્યપદથી વિભૂષિત થયા બાદ શ્રી અભયદેવસૂરિજી મહારાજ વિહાર કરતાં સંભાણક ૧. ૧૩-૧૪મા સૈકામાં. ૪૧ શ્રી સ્તંભન પાર્શ્વનાથ

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56