Book Title: Stambhan Parshwanath
Author(s): Vijaypadmasuri
Publisher: Stambhan Parshwanath 700 Varsh Ujvani Samiti

View full book text
Previous | Next

Page 31
________________ એક દિવસે પ્રૌઢ સાધુઓ બહાર ગયા ત્યારે બાલસૂરિ અને નિર્જન શેરીમાં જઈને ગાડાઓ પર કૂદકા મારવાની રમત રમવા લાગ્યા. પરવાદીઓએ ગુરુને જોયા. એટલે તેમને પણ પૂર્વની માફક ગુરુએ ઉપાશ્રય બતાવ્યો. વાદીઓના આવ્યા પહેલાં જ બાલસૂરિજી વસ્ત્ર ઓઢીને પાટ ઉપર સૂઈ ગયા. ત્યારે ઉપાશ્રયમાં આવતાં વાદીઓએ પ્રભાત સમયને સૂચવનાર કૂકડાના જેવો અવાજ કર્યો. એટલે સૂરિએ બિલાડાના જેવો અવાજ કર્યો. પછી પરવાદીઓને આવવા માટે બારણું ઉઘાડી ગુરુજી પાટ ઉપર બેઠા. વાદીઓ બાલસૂરિની અદ્ભુત આકૃતિ જોઈને બહુ જ આશ્ચર્ય પામવા પૂર્વક ખુશ થયા. પછી તર્કશક્તિથી જીતાયેલા તે વાદીઓએ કઠિન પ્રશ્ન પૂછતાં એક ગાથામાં જણાવ્યું કે : पालित्तय ! कहसु फुडं, सयलं महिमंडलं भमंतेणं ॥ વિઠ્ઠો મુઝો વ વેસ્થવિ, ચંપારસણીયત્નો પણ છે છે અર્થ – હે પાદલિપ્તસૂરિ મહારાજ ! સ્પષ્ટ રીતે કહો (કહે) કે સમસ્ત પૃથ્વીમંડલમાં વિચરતા એવા તમે (તે) સુખડના ઘોળ (પાણી) જેવો ઠંડો અગ્નિ દીઠો છે કે છે એમ સાંભળ્યો છે? આ પ્રશ્નનો ગુરુએ તરત જ એક ગાથામાં જવાબ આપ્યો કે - ૨૩ ૪ શ્રી સ્તંભન પાર્શ્વનાથ

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56