________________ ( 3 ) . . . જેમ જાહક પક્ષી પાત્રમાં રહેલું 'S S ધ પીને પછી તેના પડખાને ચાટે છે તેમ જે શિષ્ય ગુરૂ પાસેથી ગ્રહણ કરેલા (ભણેલા) સ્ત્રાર્થને અત્યંત પરિચિત (દૃઢ) કરી પછી બીજું આગળ ભણે છે, તે જાહક સમાન શિષ્ય યોગ્ય જાણો, 14 ગે-ગાયનું દૃષ્ટાંત આ પ્રમાણે કઈ કટેખિકે કઈ વેદ અભણેલા ઉત્તમ ચાર બ્રાહ્મણને ગાયનું દાન આપ્યું. તેમણે વારા પ્રમાણે એક એક દિવસ પોતાને ઘેર ગાય રાખી દેહવાને ઠરાવ કર્યો. પછી પહેલે દિવસે જેણે ગાય રાખી, તેણે વિચાર કર્યો કે “આ ગાયને હું કાંઈપણ ખાવા પીવાનું આપીશ, તેને લાભ તો મને મળવાનું નથી, કેમકે કાલે બીજાને ત્યાં જશે, તેથી મારે શા માટે કાંઈપણ ખાવા આપવું જોઈએ? એમ વિચારીને તેણે તે ગાયને કાંઈપણ ખાવા આપ્યું નહીં, અને દેહવાયું તેટલું દૂધદેહી લીધું. એ જ પ્રમાણે બીજા ત્રણ બ્રાહ્મણે એ પણ તે જ વિચાર કરી ગાયને કાંઈપણ ખાવાપીવા આપ્યું નહીં. તેથી કેટલેક દિવસે તે ગાય ખાધા પીધા વિના મરણ પામી. તેથી લેમાં તેમની ઘણી નિંદા થઈ અને ત્યારપછી કેઇએ તેમને ગાયનું દાન આપ્યું નહીં. તે જ પ્રમાણે જે શિષ્ય એ વિચાર કરે કે ગાય સદશ આચાર્ય કેવળ અમને જ ભણું છે એમ નથી, પ્રાતીચ્છિક સાધુઓને પણ ભણાવે છે, તેથી તેઓજ ગુરૂને વિનય વૈયાવચ્ચ વિગેરે કરશે; અમારે શામાટે કાંઇ કરવું જોઈએ? " હવે પ્રાતીચ્છિક સાધુઓ પણ એ વિચાર કરે કે-આ ગુરૂના વિનયાદિક તેમના શિષે જ કરશે, અમે તે થોડા દિવસ જ રહેવાના છીએ, તેથી અમે શા માટે કરીએ ? " આ પ્રમાણે વિચાર કરી ઈપણ શિષ્ય આચાર્યના વિનયાદિક ન કરવાથી આચાર્ય સીવા લાગ્યા, તેથી લેકમાં તે શિષ્યની નિંદા થઈ તેમ જ તેવા અવિનીત શિને બીજા ગચ્છાદિકમાં પણ સ્વાર્થને અભ્યાસ દુર્લભ થયે, તેથી આવા શિષ્યોને અયોગ્ય જાણવા || - 1 ભણવા માટે બીજા સમુદાયના સાધુઓ આવીને રહ્યા છે તે.