________________ (39) ત્યાગ કરવા લાયક છે. સર્વ સિદ્ધાંત જાણીને શાસનને દીપાવે 1, ધર્મોપદેશ આપીને જિનશાસન દીપાવે 2. વાદ કરી છત મેળવીને જિનશાસન દીપાવે 3, તપ કરીને જિન ધર્મ દીપાવે 4 નિમિત્ત પ્રકાશી જિનધર્મ દીપાવે છે, વિદ્યામંત્રાદિકને ઉપયોગ કરી જિનશાસન દીપાવે 6. પાદપાદિ વિદ્યાવડે સિદ્ધપણું દેખાડી જિનધર્મ દીપાવે 7 અને અનેક પ્રકારનાં કાવ્ય કરી જિનધર્મ દીપાવે ૮-એ આઠ પ્રભાવક કહ્યા છે. જિનશાસનની ક્રિયામાં કુશળતા ધરાવવી 1, જિનશાસનની (દેવગુરૂ વિગેરેની) ભક્તિ કરવી 2, જિનશાસનની ઘણું લેક અનુદના કરે તેવી પ્રભાવના કરવી 3, જિનશાસનને વિષે દૃઢતા રાખવી 4, અને તીર્થની સેવા કરવી (તીર્થોનું રક્ષણ કરવું) પ-આ પાંચ ભૂષણે છે. અપરાધી ઉપર પણ કેપ ન કર 1, સાંસારિક સુખને ન ઇચ્છતાં માત્ર મોક્ષસુખની જ વાંછા કરવી 2, સંસારને કારાગૃહ સમાન માની તેમાંથી નીકળવા ઈચ્છવું 3, દ્રવ્ય ને ભાવથી દુખીપર દયા રાખવી 4, અને જિનધર્મને વિષે સંદેહ ન કરો (આસ્તિક થવું) પ-એ પાંચ લક્ષણ છે. અન્ય તીર્થિકના દેવને, ગુરૂને અને તેણે ગ્રહણ કરેલ અરિહંતની પ્રતિમાને વંદન કરવું નહીં તેમ જ તેમને નમસ્કાર કરે નહીં 1-2, અન્ય તીર્થિક સાથે વગર બોલાવ્યું બોલવું નહીં તેમજ વારંવાર વાત કરવી નહીં 3-4, અન્ય તીર્થિકને અન્નાદિક એકવાર આપવું નહીં પ અને વારંવાર આપવું નહીં આ છે જયણ કહેલી છે. રાજાની આજ્ઞા પ્રમાણે કરવું પડે તે રાજ સંબંધી આગાર 1, ચારાદિકના બળાત્કારે કરવું પડે તે બળાત્કાર સંબંધી આગાર 2, સગા સંબંધી કે સમુદાયને અનુસરી વર્તવું પડે તે ગણસંબંધી આગાર 3, પિતાદિકના કહેવા પ્રમાણે કરવું પડે તે ગુરૂ સંબંધી આગાર 4, દેવના દબાણથી તેના કહેવા પ્રમાણે કરવું પડે તે દેવ સંબંધી આગાર 5. અને દુકાળાદિકને લીધે આજીવિકા પણ થતી ન હોય ત્યારે જે કરવું પડે તે દુષ્કાળ સંબંધી આગાર -આ છ આગાર છે. સમકિત ધર્મનું મૂળ છે 1, ધર્મરૂપ નગરનું દ્વાર છે 2, ધર્મરૂપ પ્રસાદનું પ્રતિષ્ઠાન છે 3. સર્વ ગુણને આધાર