________________ (40) છે જ, સર્વ ગુણને જાળવવાના નિધાનરૂપ છે , અને શ્રુતશીળાદિ ધિર્મનું ભાજન છે -આ છ ભાવના કહી છે. જીવાજીવાદિક નવતત્ત્વ છે એમ માનવું અથવા જીવ છે એમ માનવું 1, નવ તત્ત્વ અથવા જીવ સદા વિદ્યમાન છે એમ માનવું 2, જીવ કર્મનો કર્તા છે અને કર્મનો ભક્તા છે એમ માનવું 3-4, સંસારથી મુક્ત થવાય છે (મોક્ષ છે.) પ, અને જ્ઞાનક્રિયારૂપ મુકિતનો ઉપાય છે. એ પ્રમાણે માનવારૂપ છ થાનક છે.. આ કુલ મળીને સમકિતના સડસઠ ભેદ જાણવા, તેનો વિશેષ વિસ્તારે અન્ય ગ્રંથોથી જાણે, 43 કુશીલવાનની આચરણ अइलज्जई अइबीहई, अइभूमीपलोअणं च अइमोणं। पुरिसस्स महिलियाए, न सुद्धसीलस्स चरियाई // 7 // અત્યંત લજજા દેખાડવી, અત્યંત ભય દેખાવો, પૃથ્વી પર બહુ નીચું દેવું અને અત્યંત માન રાખવું-એ શુદ્ધ શીલવાળા પુરૂષ કે સ્ત્રીના આચરણ ન હોય. અર્થાત આવા લક્ષણવાળા માયાવી ને કુશીલીયા હોય છે અને તેનાથી વિપરીત હોય તે શીલવંત કહેવાય છે. 76 44 શીલવંતે તજવાના દોષ. वक गमणं वकं, पलोअणं तह य वंकमालवणं / अइहास उब्भडवेसो, पंच वि सीलस्स दोसाइं // 77 // વાંકે ચાલવું, વાંકું જોવું, વાંકું બોલવું, ઘણું હસવું અને ઉભટ વેષ ધારણ કરે, આ પાંચ શીલવંતે તજવા યોગ્ય દોષો છે, 77 45 અરિહંત પરમાત્માને પ્રભાવ. अरिहंतो अ समत्थो, तारण लोआण दिग्घसंसारे / मग्गणदेसणकुसलो, तरंति जे मग्ग लग्गति // 78 //