________________ (83) વિવરણ એક માસ સુધી સમક્તિને વિષે અતિયાર રહિતપણે વર્તતાં ત્રિકાળ જિનપૂજા કરવી એ પહેલી દર્શન પ્રતિમા 1. પહેલી પ્રતિમાની ક્રિયા સહિત બે માસ સુધી અતિચાર હિત શુદ્ધ પાંચ અણુવ્રત પાળવા એ બીજી વતપ્રતિમા 2, પહેલી બન્ને પ્રતિમાની ક્રિયા સહિત ત્રણ માસ સુધી સાંજ સવાર બે વાર શુદ્ધ સામાયિક કરે તે ત્રીજી સામાયિક પ્રતિમા 3, પૂર્વની ક્રિયા સહિત ચાર માસ સુધી ચાર અથવા છ પર્વ તિથિએ (અષ્ટમી, ચતુ શી, પૂર્ણિમા ને અમાવાસ્યાઓ-જે બે અષ્ટમીએ ને બે ચતુર્દશીએ કરે તો છ તિથિએ પોસહ થાય.) ચારે પ્રકારને સર્વથી પૈષધ આઠ પહારને ગ્રહણ કરે જેથી પિષધ પ્રતિમા 4, પૂર્વ ક્રિયા સહિત પાંચ માસ સુધી શુદ્ધ ચિત્તવાળે, સ્નાન રહિત, પ્રાસુક ભેજન કરનાર, દિવસે સર્વથા બ્રહ્મચર્ય પાળનાર અને રાત્રિએ પોતાની જ સ્ત્રીને વિષે પણ પરિમાણ કરનાર શ્રાવક ચાર અથવા છ પર્વ તિથિએ પૈષધ ગ્રહણ કરી આખી રાત્રિ પ્રતિમાપણે એટલે કાયોત્સર્ગે રહે તે પાંચમી પ્રતિમા પ્રતિમા અથવા કાયોત્સર્ગ પ્રતિમા પ, પૂર્વની સર્વ ક્રિયા સહિત છ માસ સુધી સર્વથા બ્રહ્મચર્ય પાળે તે છઠ્ઠી બ્રહ્મચર્ય પ્રતિમા 6, પૂર્વની ક્રિયા સહિત સાત માસ સુધી સર્વ સચિત્તનો ત્યાગ કરે તે સાતમી સચિત્ત ત્યાગ પ્રતિમા ૭,પૂર્વોક્ત ક્રિયા સહિત આઠ માસ સુધી પોતે આરંભ સમારંભ ન કરે તે આઠમી આરંભત્યાગ પ્રતિમા 8, પૂર્વોક્ત ક્રિયા સહિત નવ માસ સુધી બીજા પાસે પણ આરંભ ન કરાવે તે નવમી પ્રખ્યત્યાગ પ્રતિમા લ, પૂર્વોક્ત ક્રિયા સહિત દશ માસ સુધી પોતાને ઉદ્દેશીને કરેલા આહારનો ત્યાગ કરે, મસ્તકે શિખા રાખે અથવા મુંડન કરાવે, ધનને પણ ત્યાગ કરે તે દશમી ઉદિત્યાગ પ્રતિમા 10, તથા અગ્યાર માસ સુધી મસ્તકે લેચ કરે અથવા મુંડન કરાવે, રજોહરણ ધારણ કરે, પરિગ્રહમાં આહાર માટે પાત્રમાં જ રાખે અને “પ્રતિમાને વહન કરનારા મને (શ્રાવકને) ભિક્ષા આપો.” એમ કહી પોતાની જાતિને વિષે ભિક્ષા લેવા વિચરે, તે અગ્યારમી શ્રમણભૂત પ્રતિમા કહેવાય છે. 11, 1900 (આ અગ્યારે પ્રતિમામાં અતિચાર લગાડાતા નથી અને કઈ પ્રકારના આગાર પણ લેતા નથી.)