Book Title: Ratnasanchay Prakaranam
Author(s): Harshnidhansuri
Publisher: Sheth Chaturbhuj Tejpal Hubli

View full book text
Previous | Next

Page 182
________________ (15) 22 જ્ઞાનાવરણીયાદિક કર્મના ક્ષપશમના અતિશયપણાથી એક અર્થરૂપ બીજનું જાણપણું થવાથી અનેક અર્થરૂપી બીજનું જાણપણું જે થાય તે બીજબુદ્ધિ લબ્ધિ. 23 કેધના અતિશયપણાથી શત્રુ વિગેરેને સહજમાં બાળી દેવાની શક્તિ તે તેજલેશ્યા લબ્ધિ. 24 આહારક શરીર કરવાની શક્તિ તે આહારક લબ્ધિ, ' ' 25 તેજલેશ્યાના નિવારણ માટે શીત મૂકવાની શક્તિ તે શીત લેશ્યા લબ્ધિ, ર૬ વિષ્ણુકમારાદિકની જેમ યાવત લાખ એજનનું શરીર વિકવવાની શક્તિ તે વૈક્રિય લબ્ધિ. તેના અણુત્વ મહત્વાદિ અનેક પ્રકાર છે. ર૭ અંતરાય કર્મના ક્ષયોપશમથી ભિક્ષાવડે લાવેલું અન્ન મુનિ પોતે આહાર ક્યાં અગાઉ ગમે તેટલાને આપે-જમાડે તેપણ ખુટે નહીં તે અક્ષીણ મહાનસી લબ્ધિ, દૈવર્તમસ્વામીની જેમ, 28 જે શક્તિ વડે મુનિ જૈનશાસનને અર્થે ચક્રવર્તીની સેનાને ચૂરી નાખવી હોય તો પણ ચૂરી શકે એવી લબ્ધિ તે પુલાક લબ્ધિ ~~~-~~-~ ર૪૭ અરિહંતના સમયમાં શું શું વિશેષ હોય? अरिहंत समय बादर, विज्झ अग्गी बलाहगा थणिया। आगर दह नईओ, उवराग निसि बुड्डि अयणं च // 39 // અરિહંતને સમયમાં એટલે ભરત ઐરાવતની અપેક્ષાએ તીર્થકર થાય ત્યારથી બાદર અગ્નિ, વીજળી, બલાહક (મેઘ), સ્વનિત (ગરવ), આકર (ખાણ) નું ખોદવું, કહે બનાવવા અને નવી નદીઓનું વહેવું, ચંદ્ર સૂર્યનું ગ્રહણ, સાત્રિની વૃદ્ધિ અને ઉપલક્ષણથી હાનિ તેમજ દક્ષિણાયન ને ઉત્તરાયન-આટલા વાના હોય છે. યુગળિયાના સમયમાં કલ્પવૃક્ષનું સતત આચ્છાદન હેવાથી એટલા વાના હેતા નથી. તેમજ તેમાંના રાત્રિની વૃદ્ધિ હાનિ, અયન, ગ્રહણ વિગેરે ત્યાંના મનુષ્યોને જણતા નથી. 390.

Loading...

Page Navigation
1 ... 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250