________________ (58) દે. પછી જેમ તે જ પરમાણુઓ મળે ને તેને જ થાંભલે બને તે મુશ્કેલ છે તેમ વૃથા ગુમાવેલ મનુષ્યભવ ફરીથી મળ મુશ્કેલ છે. ૭૭ધર્મની પૂર્ણ સામગ્રીને સંભવ મનુષ્ય ગતિમાં જ છે. देवा विसयपसत्था, नेरइया विविहदुक्खसंजुत्ता / तिरिया विवेगविगला, मणुआणं धम्मसामग्गी // 120 // દેવા વિષયોમાં આસક્ત હેય છે, નારકીઓ વિવિધ પ્રકારના દુ:ખમાં મગ્ન હોય છે અને તિર્યએ વિવેક હિત હોય છે; માત્ર મનુષ્યભવમાં જ ધર્મની સામગ્રી મળી શકે છે. 120 78 મનુષ્યભવની ઉત્તમતા. सुरनारयाण दुन्नि वि, तिरियाण हुँति गइ य चत्तारि। मणुआण पंच गई, तेणं चिअ उत्तमा मणुआ // 121 // સુર અને નારકી મારીને મનુષ્ય કે તિર્યંચમાં જ ઉપજી શકે છે તેથી તેમની બે જ ગતિ હેય છે, તિચિ મરીને તિર્યંચમાં, મનુષ્યમાં, નારકીમાં કે દેવતામાં ઉપજે છે તેથી તેમને ચાર ગતિ હોય છે, અને મનુષ્ય મરીને એ ચારે ગતિમાં તથા મેક્ષમાં પણ જઈ શકે છે તેથી તેમને પાંચ ગતિ હોય છે, તેથી કરીને જ મનુષ્યભવ સર્વોત્તમ છે. 121 79 મનુષ્યભવની દુર્લભતા. सिंधूवालुअनिमग्गं, वडबीयं च दुल्लहं / माणुसत्तं तु संपप्प, को पमाई वियक्खणो // 122 // - સિંધુ નદીની પારાવાર રેતીમાં મગ્ન થયેલું વનું બીજ જેમ શોધી કાઢવું દુર્લભ છે, તેમ મનુષ્યભવ પણ દુર્લભ છે, તેને પામીને કેણ ડાહ્ય પુરૂષ પ્રમાદ કરે? 122 .