________________ (4) જેવા ગુણ કહ્યા તેવા જ તમે છો." ઈત્યાદિક કહી ફરીથી દેવે કહ્યું કે-“હે વાસુદેવ ! દેવનું દર્શન નિષ્ફળ ન હોય તેથી કોઈપણ ઈષ્ટ વસ્તુ માગે, " ત્યારે કૃષ્ણ કહ્યું કે-“હાલ દ્વારકા નગરીમાં મારીનો ઉપદ્રવ છે. તેને શાંત કરવાને ઉપાય બતાવે, કે જેથી ફરી આવો ઉપદ્રવ ન થાય, " તે સાંભળી તે દેવે તેને ગોશીર્ષચંદનની એક ભૂરી આપી કહ્યું કે-“છ છ માસે આ ભેરીને તમારી સભામાં વગાડવી. તેને શોદ બાર યોજન સુધી સંભળાશે. તે શબ્દને જે કંઈ સાંભળશે, તેના પૂર્વના વ્યાધિ નાશ પામશે અને નવા વ્યાધિ છ માસ સુધી થશે નહીં.” આ પ્રમાણે કહી તે દેવ સ્વસ્થાને ગયા. પછી કૃષ્ણ ને ભેરી હમેશાં ભેરી વગાડનાર સેવકને આપી કહ્યું કે-“છ છ માસે સભામાં આ ભેરી તારે વગાડવી અને એને સારી રીતે સાચવી રાખવી. 9 પછી બીજે દિવસે સભામાં તે ભેરી વગાડી. તેના શબદથી આખી દ્વારકા નગરીના લેકના વ્યાધિ નષ્ટ થઈ ગયા એકદા દૂર દેશનો રહીશ કે ઈ મહારગી ધનવાન પુરૂષ તે ભેરીને શબ્દ સાંભળવા માટે દ્વારકા નગરીમાં આવ્યો. પરંતુ તે ભેરી વગાડવાનો દિવસ વ્યતીત થયો હતો. તે જાણું તે ધનિકે વિચાર કર્યો કે-“હવે મારું શું થશે ? હવે તો છ માસે ફરીથી ભેરી વાગશે. ત્યાં સુધીમાં તો મારે વ્યાધિ વૃદ્ધિ પામીને મારે જીવિતને અંત લાવશે. તેથી હવે મારે શું કરવું ? >> આ પ્રમાણે ચિંતા કરતાં તેને વિચાર સૂઝ કે-જે તે ભેરીને શબ્દ સાંભબાવાથી જ રેગ નષ્ટ થાય છે, તે તેને એક કકડો ઘસીને પીવાથી અત્યંત નાશ પામશે. તેથી તે ભેરી વગાડનારને પુષ્કળ દ્રવ્ય આપી તેની પાસેથી એક કકડો માગી લઉં.” આ પ્રમાણે વિચારી તેણે ઘણું દ્રવ્ય આપી તેની પાસેથી ભેરીને એક કકડો લીધો અને તેના વડે પોતાનો રોગ નષ્ટ કર્યો. ભેટી વગાડનારાએ તે કકડાને બદલે બીજે કકડો સાંધી દીધો. આ પ્રમાણે ધનના લોભથી તે ભેરી વગાડનારાએ અન્ય અન્ય દેશાંતરમાંથી આવેલા રેગીજનો પાસેથી ઘણું ધન લઈ કકડા કડા આપ્યા અને તેને બદલે બીજા કકડાઓ સાંધ્યા. તેથી તે ભેરી કથા જેવી થઈ ગઈ અને તેનો પ્રભાવ પણ નષ્ટ થયો