________________ (33) એકદા સધર્મ છે તેના આ બે ગુણોની પ્રશંસા કરી. તે સાંભળી કે દેવ તેની પરીક્ષા કરવા માટે આવ્યો. તેણે એક અત્યંત કેહેલા, દુધી, મુખ ઉઘાડીને સુતેલા અને મરવાની તૈયારીવાળા કુતરાને રૂ૫ વિકર્વી એક ખાડામાં મૂક્યું. તે વખતે તે ભાગે કૃષ્ણ વાસુદેવ સિન્ય સહિત ઉજયંત પર્વતપર પધારેલા શ્રી નેમિનાથને વાંદવા નીકળ્યા. આગળ ચાલનારા સૈન્યના મનુબે તે કુતરાની દુર્ગધને લીધે વસૂવડે નાસિકાને ઢાંકી દૂર ચાલવા લાગ્યા. કૃષ્ણ તેનું કારણ પૂછ્યું, ત્યારે કેઈએ તેને કહ્યું કે-“હે દેવ ! આગળ અત્યંત દુર્ગધવાળે મૃતપ્રાય કુતરે પડે છે, તેની દુર્ગધ સહન ન થવાથી સર્વ કે વસૂવડે નાસિકાને ઢાંકીને દૂર દૂર ચાલે છે. તે સાંભળી ત્રાસ પામ્યા વિનાજ કૃષ્ણ પોતાનો હસ્તી તે તરફ જ ચલાવ્યું. તેની પાસે જઈ કૃણે તે કુતરાની પ્રશંસા કરી કે “અહો ! શ્યામ શરીરવાળા આ કુતરાના મુખમાં રહેલા શ્વેત દાંતની પંક્તિ જાણે કે મરકત મણિમય પાત્રને વિષે રાખેલા મુક્તાફળની શ્રેણિ હોય તેવી શોભે છે. '' આવી તેની કરેલી પ્રશંસા સાંભળી તે દેવ વિસ્મય પાયે, ત્યારપછી કૃષ્ણ વાસુદેવ શ્રી નેમિનાથને વાંદી ઘેર આવ્યા ત્યારે 'તે દેવ તેની અશાળામાંથી સર્વજન દેખતાં એક અથરત્નનું હરણ કરી ધીમે ધીમે ચાલ્યો. તેની પાછળ સૈન્ય તથા સર્વે કુમારે ગયા તે સર્વેને તે દેવે લીલામાત્રથી જીતી લીધા, છેવટ કૃષ્ણ વાસુદેવ આવ્યા. તેણે તેને પૂછયું કે-“તું શા માટે મારા અધરત્નનું હરણ કરે છે? તેણે જવાબ આપે કે- આને હરણ કરવાની મારામાં શક્તિ છે તેથી હરણ કરૂં છું. તમારામાં જે શક્તિ હોય તેં મને યુદ્ધમાં જીતી આ અધ ગ્રહણ કરે ?" તે સાંભળી કૃષ્ણ કહ્યું-“કયા યુદ્ધવડે હું તારી સાથે યુદ્ધ કરૂં?” તેણે કહ્યું-“પૂત (કુલા)ના યુદ્ધવડે યુદ્ધ કરે.” તે સાંભળી કૃષ્ણ બે હાથવડે કાન હાંકી બેદયુક્ત થઈ કહ્યું કે-“ભલે તું અને લઈ જા, પરંતુ હું નીચયુદ્ધવડે યુદ્ધ નહીં કરું. તે સાંભળી પ્રસન્ન થયેલા દેવે પ્રત્યક્ષ થઈ તેની પ્રશંસા કરી કહ્યું કે-“તમારા ગુણની પ્રશંસા કરી, તેની પરીક્ષા કરવા માટે આ સર્વ મેં કર્યું છે, ઈંદ્ર તમારા