________________
૪૧૯
કોઈ પુરુષ આચાર્ય ભગવંતની સો વખત પૂજા-ભક્તિ કરે છે અને બીજી તરફ પોતાના પિતાની એક જ વાર સેવા કરે છે, તેમાં પિતાની ભક્તિ કરનાર અપાર પુણ્યરાશિ પ્રાપ્ત કરે છે. ... ૪૩૯
કોઈ વ્યક્તિ પિતાની પુનઃ પુનઃ સેવા-ભક્તિ કરતાં હજાર વખત તેવું કરે અને બીજી તરફ માતાની ફક્ત એક જ વખત સેવા કરે તો માતાની ભક્તિનું અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થવાથી તે દીપી ઉઠે છે.... ૪૪૦
ભરત ચક્રવર્તી જેવા પુત્રએ મરૂદેવા માતાને પરમાત્માના દર્શન કરાવી શ્રેષ્ઠ પ્રકારની માતૃભક્તિ કરી. તેમણે શત્રુજ્ય, ગીરનાર જેવા તીર્થસ્થાનોએ પગપાળા સંધ કઢાવી સંધવીનું બિરુદ મેળવ્યું. તેમણે સંધ કઢાવી સાધર્મિકોની ખૂબ ભક્તિ કરી.
... ૪૪૧ યુદ્ધિષ્ઠિર આદિ પાંચ પાંડવો જન્મથી જ ભદ્ર પ્રકૃતિના હતા. તેઓ માતાના વચનોથી શત્રુંજય તીર્થની યાત્રાએ ગયા. ત્યાં માતાના ભાવ થતાં તેમણે શત્રુજ્ય તીર્થનો બારમો જીર્ણોદ્ધાર કરાવ્યો. ૪૪૨
ચોપાઈ : ૯ સંગીત વિશારદ ઉદાયન કુમારને ઉજ્જયિનીમાં નિમંત્રણ
માતા મૃગાવતીનેં કાજ, ઉદયન ચિત ન લાગે રાજ; રાજ સભા પૂરઈ નહી જિમેં, મંત્રી બુધિ વિચારઈ તિસઈ
... ૪૪૩ ગજ તુરંગ ખેલાવા તણી, રમતિ લગાવે રાજા ભણી; જાણે જનની દૂખ વીસરે, રાજ કાજની ચિંતા કરાઈ
... ૪૪૪ ઉદયન ગજ ખેલાવા ભણી, વીણા લેઈ વન આવે ગુણી; વીણા સ્ય જનની ગુણ ગાય, નાગ મૃગ તિહાં વીવલ થાય તે ઉદયન અહી આવું હવે, તો તમ પુત્રીને સીખવિં; અભય કુમારની વાણી સુણી, ચલવ્યો દૂત કોસંબી ભણી લોહજંથો તવ આવ્યો વહી, ઉદયનને કહે ચાલો સહી; તેડઈ તુમ ઉજેણી ધણી, વીણા કલા તુમ સુણવા ભણી વાસવદતા બેટી તણાઈ, કલા સીખવો આદર ઘણી; ઘોષાવતી જ વજાવા ઘણોં, કરાવો રાય શ્રવણ પારણો
... ૪૪૮ મંત્રીને પૂછે પુર ધણી, કહો તો જાઉં અવંતી ભણી; મંત્રી કહે નવિ જઈયે જોય, રાજ કાજ પણિ મેલાં હોય કંમરીને તેડાવો આહિ, વિદ્યા ગુરુ નવિ જાઈ તાંહિં; સૂણી રાય સાચૂ સદહે, લોહજંથો પરતિ નૃપ કહે જો કુમરી આવે મુઝ ભણી, વિદ્યા સકલ દેઉં આપણી; વિણ કર્યે ફલ સેવીં થાય, ગુરુનો પણિ વાધઈ ઉંછાય સૂણી વચન લોહજંથો ફરઈ, કહ્યો બોલ હઈયામાં ધરઈ; ચંડપ્રદ્યોતનને કહે દૂત, નાર્વે આંહિ સતાનીક પૂતા
... ૪૫ર
••• ૪૪૫
••• ૪૪૬
• ૪૪૭
• ૪૫o
•
૪૫૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org