________________
૪૩૫
... ૫૫૪
૫૫૫
••• ૫૫૬
કહો ચિંતા કોશબીનાથ, મેં તુઝ આપ્યો જિમણો હાથ; રખે મુઝને ઉવેખી જાય, મેં જીવત સોંપ્યું તુઝ રાય. સૂણિ રાય હરખ્યો મનિ જોય, એક દિન ગોખંઈ બેઠા હોય; નાચે ગાંઈ કુંદસૂઈ બ્રાહ્મણ એક દોય સાતમું જોય.
... ૫૫૩ વાસવદત્તાદેખઈ તમેં, ઉદયનને જ જણાવ્યો તસે; નૃપ જોઈ નઈ બોલ્યો અમેં, એ કોઈ એક મુઝ મંત્રી હસે. તેથી બ્રાહ્મણ લાગસ લહી, ઉદયન તે આવ્યો સહી; ઉલખ્યો પોતાનો પરધાન, મલ્યો રાયદીધું બહુમાન. કુલાદિક સહૂ પૂછે સહી, તોં કિમ આવ્યો મંત્રી વહી; છાંનો બોલ્યો તેણઈ ઠામિ, વામી પધારો આપણઈ ગામિ. વાટ ભીમપલી છે જ્યાંહિ, સિધ પુરષ એક સેવ્યો ત્યાંહિ; તુઝ નામે મુઝ ગુટિકાદીધ, અવંતીમાંહિ પીઆણોં કીધ.
... ૫૫૭ ગુટિકાતeઈ પ્રભાવું જોય, નવિ ઉલMઈ મુઝને કોય; ગૃથલ થઈ ફર્ક નગરીમાંહિ, આવો નૃપલેઈ જાઉં તાંહિ.
... ૫૫૮ તવ ઉદયન કહઈ સુણિ પરધાન, ઈમ જાતાં મુઝ ન રહે માન: વાસવદત્તા પૂઠિ સહી, પ્રગટ જઈ ભૂપતિને કહી.
... ૫૫૯ ભદ્રવતીનો જે કુંતાર, તે ભેદ મુઝને આધાર; મલી એકઠા કીજઈ વાત, રીષભ કહે આગલિ અવદાત.
... પ૬૦ અર્થ - દાસીના વચનોથી નિશ્ચિત બનેલા બન્ને પ્રેમી યુગલ ખુશ થયા. એક દિવસ ઉજ્જયિની નગરીમાં અનલગિરિ નામનો રાજાનો હાથી (આલનસ્થંભ ઉખેડી) ઉન્મત્ત બની દોડવા લાગ્યો. તેણે નગરમાં ખૂબ તોફાન મચાવ્યું.
...૫૩૨ (અનલગિરિએ વિનાશલીલા સર્જી) તેણે કિલ્લાઓ, મઠો, મંદિરો, નગરની પોળો જમીનદોસ્ત કરી. ઊંચા, વિશાળ વૃક્ષો ઉખેડી નાખ્યાં. હાથીની ગર્જનાથી બહુધા પર્વતો ધ્રુજવા લાગ્યા. તેને પકડવા માટે સુભટોદોડયા પરંતુ તેઓ નિષ્ફળ જતાં પાછા હટયા.
..૫૩૩ (પ્રચંડ કાયા અને તોફાને ચડેલા) ઉન્મત્ત હાથીને જોઈ ઘણા નગરજનો ડરીને ઘરમાં જતા રહ્યા. કેટલાક લોકો પોતાના પ્રાણ બચાવવા નાશભાગ કરવા લાગ્યા. રાજા, રાજ દરબારીઓ, રાજકુંવરો અને સેનાપતિઓ આ તોફાને ચડેલા હાથીને જોઈ ડરીને ભાગ્યા.
...૫૩૪ રાજાએ સુભટોને આજ્ઞા કરી કે, “આ ગજરાજને કોઈ વશ કરીને લાવો. આ ગજરાજે વિષમ કાર્યો પૂર્ણ કર્યા છે. તેણે મારી ઈજ્જત વધારી છે. આ ગજરાજથી જ મારું રાજ્ય શોભે છે.” ..૫૩૫
જ્યારે શૂરવીર સુભટો અને મહાવતો ગજરાજને અંકુશમાં ન કરી શક્યા ત્યારે મહારાજાએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org