Book Title: Prachin Bharat Varsh Part 04
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Shashikant and Co

View full book text
Previous | Next

Page 398
________________ તથા પ્રાસંગિક વિવેચન પંચમ પરિચ્છેદ ] બૃહસ્પતિમિત્ર ઉર્ફે નંદ આઠમા ઉપર હલ્લા લઇ જઇ પાતાના પગે નમાવી પેલી કલિંગજીન મૂર્તિ જે, આનંદ આઠમાના દાદા નંદિવર્ધન ઉર્ફે નંદ પહેલેા, પેાતાના દાદા ક્ષેમરાજ પાસેથી ઉઠાવી લઇ ગયેા હતા તે, પાછી પોતાની પાટનગરે લઇ આવ્યા હતા. આ જ સમયે દક્ષિણ હિંદમાંના મદુરા પાસે જમાવટ કરી પડેલ પેલા સિંહલદ્વીપવાળા લુટારૂટાળાના સરદારને કાને આ વિજયના સમાચાર આવી લાગતાં, આગળ વવાની જે તૈયારી કરી રહ્યો હતા, તે પડતી મૂકીને પાછા નાસી ગયા હતા. એટલે વળી નિયમ પ્રમાણે એક વર્ષના આરામ બાદ રાજા ખારવેલે દક્ષિણમાં જઇ મદુરા શહેરમાં અ તેની આસપાસના મુલકમાં જે નાની નાની મંડીએ–બજાર–જેવી સ્થિતિ, ઉપરની લુટારૂ અને બદમાસ ટાળીએ ધામા નાંખીને ઉભી કરી હતી તે બધી ઉખેડી નાંખી તેમનું નામ નિશાન કાઢી નાંખ્યું.પ આમ કરીને ઠેઠ કન્યાકુમારી સુધીના મુલક નિષ્કંટક બનાવ્યા તથા કર્લિંગ ઉર્ફે ઉરીય, તામીલ અને તેલગુ એ ત્રણે ભાષા ખેલતી પ્રજાના જે વિભાગ કેટલાયે વર્ષથી પડી ગયા હતા તેનું એકીકરણ કરી મૂકયું૨૬ અને પેાતાના ત્રિકલિંગ સામ્રાજ્યની સ્થાપના કરી દીધી. આ સમયથી ત્રિકલિંગાધિપતિ સમ્રાટ ચક્રવર્તી ખારવેલના ઉપનામને પેાતે લાયક ઠર્યાનું કહી શકાશે. તેના રાજદ્વારી જીવન વિશે હાથીગુફાના લેખાધારે આપણે જે જાણી શકયા છીએ તે ઉપર પ્રમાણે છે. પરંતુ એક લેખકે૮ એટલે સુધી જણાવવાની હિંમત કરી છે કે, Kharvela had sea-borie trade with Persia. Probably he had also colories in Burmah and furthe India=ખારવેલના સમયે) ઇરાન સાથે દરિયાઈ માર્ગે વેપાર ચાલતા હતા. વિશેષ સંભવિત છે કે, ખમાં અને દૂરના હિંદમાં તેના સંસ્થાના પશુ હતાં. આ સ્થિતિએ પહેાંચતાં ઈ. સ. પૂ. ૪૧૫ ની તેમની કહેવાની મતલબ એ છે કે, જેમ હિંદની (૨૫) આ બનાવ રાન્ન ખારવેલ ગાદીએ બેઠા પછી અગિયાર વર્ષ બન્યા હૅાવાનું લેખ ઉપરથી સમાય છે. હિસાબ કરતાં તેને સમય મ. સ. ૯૮+૧૧=૧૦૯=ઇ. સ. પૂ. ૪૧૮ આવે છે. (જુએ નીચેની ટીકા ન. ૨૬ નું લખાણુ). (૨૬) નયરના દેહ સ ંધાતને તેાઢ્યા. એમ જે લખાણ છે તે નીચેના પ્રસંગ સમજવા. ઉપપ સાલ આવી પહોંચી. તે સમયે મગધપતિ તરીકે નવમાં નંદના રાજ્યાભિષેક થઈ ચૂકયે હતા. તેના વ્યવહાર અને રાજકુશલ મહાઅમાત્ય મંત્રી શકાવાની રાજનીતિથી ઉત્તર હિંદની અંધાધૂધી અવશ્ય થવા લાગી હતી તથા ક્રમેક્રમે મંદ નવમાની સત્તા ઉત્તર હિંદમાં જામવા માંડી હતી એટલે પણ રાજા ખારવેશને ઉત્તર હિંદ તરફ નજર નાંખવાની જરૂર નહેાતી પડી; તેમ પંચમ આરાજન્ય કાળભગવાનની પેલી ભૂમિતૃષ્ણાની અસરથી તે હજુ વિમુખ હતા ૨૭ તેથી દક્ષિણ હિંદનું સાર્વભૌમત્વ મળી જતાં તે નિરાંત વાળીને બેસી રહ્યો હતા. એટલે આત્મકલ્યાણ સાધવામાં જ તેનું ચિત્ત પરાવા લાગ્યું. તે માટે દક્ષિણ હિંદના આ ચક્રવર્તીએ ધર્મરાજ્યના ચક્રની પ્રાપ્તિ કરવામાં જ શેષ જીવન ગાળવા માંડયું. રાન ઉંદચાશ્વના વૃત્તાંતે જણાવી ગયા છીએ કે, તેના પુત્ર અનુરૂઘ્ધ અને સૈન્યપતિ નાગદાકે દક્ષિણહિંદુ ઉપર જીત મેળવી સિંહલદ્વીપની ભૂમિને પણ મગધપતિની આણામાં લાવી મૂકી હતી. તેનેા સમય આપણે (જીએ પુ, ૧ સમચાવલીમાં ઇ. સ. પૂ, ૪૯૧=મ. સં. ૩૬થી ઈ. સ. પૂ. ૪૮૨=મ. સ’, ૪૫ની હકીકત) જે ઠરાવ્યો છે તે આ દેહસબાતની બીના સાથે સરખાવવી પડશે, તેમાં ૧૩ વર્ષ લિપિજ્ઞોએ વાંચ્યા છે પરંતુ સંભવિત છે Y એમ પશ્ચિ પાંચમાંના આંક પ્રથમ ૧૬૫ ઉકેલાયા હતા અને હવે ૪૦૩ માન્ય રહ્યો છે, તેમ અહીં પણ સ્ખલના થઇ હેાય ત્યારે ખરી રીતે તે આંક ૭૩–૧૩ કે તેની આસપાસના હાય, (૨૭) તેમ રાન્ન ન ંદે પણ દક્ષિણ હિંદુ તરફ્ નજર ફેરવી નથી. બાકી જો તેણે ધાર્યું હોત તો ઇ. સ. પૂ. ૪૧૫ થી જ્યારે ખારવેલે નિવૃત્તિ અ ંગીકાર કરી અને ૩૯૩માં મરણ પામ્યા તે વચ્ચેના ૨૩ વર્ષીમાં તે દક્ષિણ હિંદમાં કાંઇને કાંઇ નવા જૂની કરી શકત. પરતુ કાંઇ નથી કર્યું. તે બતાવે છે કે તેને પણ ભૂપ્રાપ્તિની લેાલુપતાનમાં માહ લાગ્યા નહાતા (૨૮) જીએ જ, આ હં, રી. સા. પુ. ૨. ભાગ ૧ ૫, ૧૪,

Loading...

Page Navigation
1 ... 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496