Book Title: Prachin Bharat Varsh Part 04
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Shashikant and Co

View full book text
Previous | Next

Page 413
________________ ૩૭૦ પરિશિષ્ટ [ પ્રાચીન બરાબર ખ્યાલમાં રખાય તે વાચકવર્ગ તુરત સમજી શકશે કે, આવી પરિસ્થિતિમાં તે પ્રમાણે વસ્તુના આલેખનારને દોષ? કે વર્તમાન પરિસ્થિતિ અન્વયે બંધાઈ ગયેલ સ્વનિર્ણિત મતને દૃઢપણે વળગી રહીને આલેખાયેલી વસ્તુને જેનારને દેષ? વસ્તુસ્થિતિ આ પ્રમાણે પ્રવર્તતી રહેલી હેઈને, આટલો લાંબે પ્રસ્તાવ કરવો જરૂરી લાગે છે. હવે આ પરિશિષ્ટમાં આલેખવા ધારેલી ઐતિહાસિક ઘટનાઓ સમજાવવા પ્રયત્ન કરીશું. પ્રથમ આપણે, નહપાણ ક્ષહરાટ અને ગૌતમીપુત્ર શાતકરણી-રાણ બળથીના પૌત્ર સંબંધી ઘટના વિચારીએ. આ બન્ને રાજવીઓએ પિતાના નામે નાસિકની ગુફાઓમાં સ્તંભ ઉભા કરાવ્યા છે. આ સ્તંભના શીરાભાગે સિંહ અને વૃષભ કેતરાયેલ છે. સ્તંભની કારીગરી વિશે આપણે આ સ્થાને કાંઈ ઉલેખ કરવાની જરૂર નથી. (ઈચ્છુકવર્ગ, ફરગ્યુસન સાહેબ કૃત હિસ્ટરી ઓફ ઈન્ડીયન અને ઈસ્ટર્ન આર્કીટેકચર ભાગ ૧ પૃ. ૧૮૫ નું વર્ણન જોઈ લેવું). પરંતુ આ પ્રાણીચિત્રો વિશે તથા તે રાજાઓના ધર્મ વિશે બે શબ્દ કહેવાના છે. વિદ્વાનોએ આ બને સ્તંભોને બૌદ્ધધર્મનાં પ્રતીકસમાં માન્યાં છે. છતાં ખૂબી એ છે કે, નહપાણને જૈનધમ હોવાનું હવે તેઓ સ્વીકારતા થયા છે તથા ગૌતમીપુત્રને અથવા તે આખા શાતવહનવંશને અને તેથી કરીને તેમાંના કેટલાક રાજાઓ જે શાતકરણી નામે ઓળખાતા થયા છે તેમને વૈદિકમતાનુયાયી હોવાનું ઠરાવે છે. દેખીતું જ છે કે વૈદિક અને જૈન રાજાઓ બદ્ધધર્મનાં પ્રતીકે ઉભાં કરાવે તે વિધાન જ બુદ્ધિને અનુસરતું નથી; ત્યારે ખરું શું હોઈ શકે તે તત્ત્વજ્ઞાસુને જાણી લેવાની જરૂર હોય છે જ. વાસ્તવિક તે એ જ છે કે, દરેક રાજા પિતપતાના ધર્મનું જ સ્મારક ઉભું કરાવે. તેમાં નહપાણુ તથા તેના જ્ઞાતિબંધુ સર્વ ક્ષહરાટ-જૈનધર્મનુયાયીઓ હતા, તે આપણે તેમનાં વૃત્તાંતનું આલેખન કરતાં સાબિત કરી બતાવ્યું છે (જુઓ પુ. ૩ પૃ. ૨૫૩થી ૨૬૩). જ્યારે શીતવહનવંશ સ્થાપક રાજા શ્રીમુખ પોતે તથા તેના વંશજો મુખ્યભાગે (વચ્ચે થોડાક અપવાદ સિવાય; ઈ. સ. ૭૮માં જ્યાં સુધી તેમાંના એક રાજા મૈતમીપુત્રે વૈદિક ધર્મ અંગીકાર કરીને શકસંવત પ્રવતાવ્યો નહોતે ત્યાં સુધી તેઓ જૈનો જ હતા;) તે હકીકત પ્રસંગે પાત ઉપરના ભાગમાં આપણે જણાવી દીધી છે. વળી આ ગૌતમીપુત્રના સિક્કા ઉપરથી (જાઓ પુ. ૨ સિક્કા ચિત્ર આંક નં. ૭૫-૭૬) પણ સાબિત થાય છે કે તે જૈનધર્મી હતા. તેમ તેણે શકારિ વિક્રમાદિત્યની સંગાથે (જુઓ ઉપરમાં તેનું જીવનચરિત્ર) રહીને જૈનતીર્થના અવતંસ સમાન શત્રુંજય ઉપર અમુક અમુક ધર્મકાર્યો કરાવ્યાનું પણ સેંધાયું છે. એટલે સ્પષ્ટ થાય છે કે ગૌતમીપુત્ર પોતે પણ જૈનમતાનુયાયી હતા જ. વળી પુ. ૫ માં તેમના સ્વતંત્ર અધિકારનું વર્ણન કરતાં સવિસ્તરપણે આ હકીકત શિલાલેખ અને સિક્કાઓના પુરાવાથી આપણે સાબિત કરી આપીશું. એટલે હાલ તે તેને સ્વીકાર કરીને જ આગળ વધીશું. મતલબ એ થઈ કે રાજા નહપાણ તથા ગૌતમીપુત્ર શીતકરણ બને જાણું ધર્મ જેને જ હતા. એટલે તેમણે જે સ્તંભ ઉભા કરાવ્યા છે તેમાં, જે કઈ દશ્ય કેતરાવ્યાં હોય તે સર્વેમાં, તે ધર્મના સિદ્ધાંતને અનુસરીને જ કામ લેવાયું હોય તે દેખીતું જ છે. આ નિયમને સ્વીકાર કરાય તે એ પણ સ્પષ્ટ થઈ જાય છે કે, સિંહ અને વૃષભાદિ પશુઓ તે સમયે જૈનધર્મસૂચક ચિન્હ જ | (૨) બલકે કહો કે, જે ખંભે ત્યાં ઉભા કરાયા છે તેમને ઓળખાવવા માટે વિદ્વાનોએ, નહપાણુ પીલર અને ગૌતમીપુત્ર પીલર એવાં નામો આપ્યાં છે. (અ) નહપાણુ સ્તંભ, નં. ૮ના નામે ઓળખાતી નાસિગફાની એશારીમાં ઉભે કરેલ છે. (બ) ગૌતમીપુત્ર સ્તંભ નં. 8ની ગુફામાં આવેલ છે. () સિંહ તે જેનેના ૨૪મા તીર્થંકર શ્રી મહાવીરનું લંછન-ઓળખચિન્હ છે જ્યારે વૃષભ તે પહેલા શ્રી અષભદેવનું ચિન્હ છે.

Loading...

Page Navigation
1 ... 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496