________________
મલયકેતુઃ મકરધ્વજ
૩૬૬
થવાથી—અને તે પણ મૈત્રી ધરાવતા રાજાના દરબારમાં થવાથી—તેના મનમાં ધણા ખટકા રહી જવા પામ્યા હતા. એટલે તેણે કાંઈક આવેશમાં અને કાંઈક રાષમાં ચંદ્રગુપ્તના મગદેશ ઉપર ચડાઈ કરવાનું નક્કી કર્યું.
રાજા ખારવેલના મરણ સમયે જોકે સારાયે દક્ષિણહિંદુ કલિંગને તાબે હતા પરંતુ તેના મરણુ ખાદ રાજા વત્રીને પેાતાના વિલાસી જીવનને અંગે ધણાખરા ભાગ ગુમાવી દીધા હતેા; જેને અસલમાં અંગદેશ કહેવાતા હતા, તે જેમ . રાજા ચંદ્રગુપ્તે તે મગધપતિ બન્યા તે પહેલાં હસ્તગત કરી લીધા હતા તેમ બાકીના અંગદેશ-વરાડ પ્રાંતના ભાગમાં તથા પશ્ચિમઘાટ વાળા પ્રદેશમાં જે અંધ્રપતિ શ્રીમુખે રાજા ખારવેલના ભૃત્યઃ તરીકે આણુ સ્વીકારી હતી અને જેના પુત્ર અત્યારે ગાદીએ હતા તે પશુ સ્વતંત્ર ખૂની ગયા હતા. એટલે તેટલા ભાગ પણુ કલિંગના સામ્રાજ્યમાંથી ખાતલ થઇ જ ગયા કહેવાય. અધુરામાં પુરૂં, તે ગૌતમીપુત્ર યજ્ઞશ્રીએ તથા તેના પછી આવનાર ત્રીજા અંધપતિ તેના કાકા કૃષ્ણ વસિષ્ઠ પુત્રે, નિઝામી રાયવાળા ભાગ પણ પડાવી લીધા હતા. ચેાલા, પલ્લવ અને પાંડય રાજા વિશે. જો કે બહુ જાણવામાં આવ્યું નથી પરંતુ સંભવત છે કે, કાં તેઓ સ્વતંત્ર બની ગયા હૈાય અથવા તે ઉપર વર્ણવેલા ખીજા અને ત્રીજા શાતકરણીના તામે ગયા હૈાય. ગમે તેમ ખનવા પામ્યું હોય પરંતુ એટલી સ્થિતિ નક્કી છે કે, તે સધળા કર્લિંગપતિની આણુમાંથી તે। ખસી ગયા હતા જ. ટૂંકમાં કહી શકાશે કે વક્રગ્રીવના મરણ સમયે કલિંગના સામ્રાજ્યની હદ અહુ જ સંકુચિત ખની ગઈ હતી. આ કારણથી રાજા મલયકેતુના નશીબે બહુ નાના પ્રદેશ જ હાથમાં આવ્યો હતા એમ કહેવું પડશે. એટલે જ્યારે ચંદ્રગુપ્ત, મલયકેતુના પિતા વક્રીવની મદદ લીધી હતી ત્યારે પેાતે ભલે નાનકડા પ્રદેશના જ રાજવી હતા, પરંતુ અત્યારે તે તે મોટા રાજ્યના માલિક બની બેઠે। હતા. તેમાંયે મગધ સામ્રાજ્યની ભૂમિમાંથી જે કાંઇ ભાગ પડવાના હતા, તે હવે રાજાવક્રગ્રીવનું મરણુ થતાં સેના હિસ્સામાંજ રહી જવા પામ્યા હતા. એટલે અત્યાર્
[ કામ ખંડ
ચંદ્રગુપ્ત સમ્રાટ ઉપાડયો પણ ઉપડે નહીં તેવા ખની ગયા હતા. આ પ્રમાણે એક પક્ષે મલયઋતુની અને ખીજા પક્ષે ચંદ્રગુપ્તની સ્થિતિ રાજ્ય વિસ્તાર પરત્વે બની રહી હતી. છતાં મલયકેતુએ ઉપર કહી ગયા પ્રમાણે સમ્રાટ ચંદ્રગુપ્તના દરબારે અકસ્માતથી પેાતાના પિતાના નીપજેલા અવસાનને અંગે પ્રગટી નીકળેલા રાષને લીધે ચડાઈ લઈ જવા ઈચ્છા કરી હતી. તે પ્રમાણે યુદ્ધ પણ થયું હતું જેના પરિણામે તેની હકુમતમાં ઉલટા વિશેષ કાપ મૂકાયા તેમજ તે પોતે ખેાજ ગુમાવી બેઠા. કદાચ તે યુદ્ધમાં મરણુ પણ પામ્યા હાય. કાઇ રીતે કાંઇ ચેસ સ્થિતિ ઉચ્ચારી શકાય તેમ નથી. એટલે હાલ તા અનુમાન કરવું રહે છે કે, ઉપરના યુદ્ધ બાદ જો તે જીવતા રહેવા પામ્યા હૈાય તે પણ બહુ જ નામાથી ભરેલી સ્થિતિમાં, અને એકદમ નાના પ્રદેશ ઉપર જ અધિકાર ભાગવતે પડી રહ્યો હૈાય. વળી તે બાદ થાડા વર્ષમાં તેનું મરણુ નીપજતાં ચેવિંશની સમાપ્તિ થઈ ગઈ ગણાશે તથા કલિંગદેશ હંમેશને માટે મગધ સામ્રાજ્યના એક અંશ બની ગયા ગણાશે. આ ખનાવને સમય આપણે અંદાજે ઇ. સ. પૂ. ૩૬૧ ના મૂકીશું.
ચેદિવંશની સમાપ્તિ થઇ ગયાનું આપણે એટલા ઉપરથી જણાવવું પડે છે કે મૌર્ય ચંદ્રગુપ્તના પાત્ર સમ્રાટ અશોકવર્ધનના દરબારમાં જે ગ્રીક એલચી મેગેસ્થેનીસ આવ્યા હતા તેણે હિંદના કેટલાંક વિદ્યમાન રાજ્યા વિશે હકીકતા જણાવી છે તેમાં આંધ્ર રાજ્યનું નામ લેવાયું છે પરંતુ ચેદિનું નામ દેખાતું નથી. એટલે ચેવિંશનું નામ જ કાંતા તેના સમયે તદ્ન લુપ્ત થઈ ગયું કહેવાય અથવા તે ચેવિંશની સ્થા૫ના જ મેગેસ્થેનીસના સમય બાદ થઇ હશે એમ માની લેવું જોઇએ. પરંતુ આપણે સાબિત કરી ગયા છીએ, તેમજ હાથીણુંકાના લેખ પણ જણાવે છે કે, રાજા નંદના સમયે આ ચેદિવંશના રાજા ક્ષેમરાજ હૈયાત પણ હતા જ. એટલે કે નંદવંશ અને ચેદિવંશ એક વખત સમકાલીન પણે વર્તતા હતા અને એક ખીજાની હરીફાઇમાં રાજ ચલાવ્યે જતા હતા; જેથી સાબિત થ ગયું કે, ચેદિવશ મેગેસ્થેનીસના સમય