Book Title: Prabuddha Jivan 1994 Year 05 Ank 01 to 12 Author(s): Ramanlal C Shah Publisher: Mumbai Jain Yuvak Sangh View full book textPage 5
________________ તા. ૧૬-૧-૯૪ જ રીતે ઉઠાવવાનાં હોય છે. મોટા માણસોને સલામી આપનાર સેનાનાયકે પદ્ધતિસર Slow March કરવાની હોય છે. I જેમ માણસની વ્યક્તિગત ચાલ જુદી જુદી હોય છે તેમ જુદા જુદા દેશની પ્રજાઓની ચાલમાં પણ વિશિષ્ટ લક્ષણો જોવા મળે છે. સામ્યવાદી શાસનકાળ દરમિયાન રશિયા, પૂર્વજર્મની, હંગેરી વગેરે દેશોમાં જ્યાં બે ગામ વચ્ચે વાહનોની સગવડ નહોતી ત્યાં માણસોને લાંબાં લાંબાં ડગલાં ભરીને અત્યંત ઝડપથી ચાલતા જોયા છે. જાપાનના લોકો અને તેમાં પણ મહિલાઓને નાનાં નાનાં કદમ નજીક નજીક ભરીને ચાલવાનો ખાસ મહાવરો કરાવવામાં આવે છે. સહેજ વાંકા વળીને આવી રીતે કદમ ભરતી મહિલાના દેહલાલિત્યમાં વિનય અને વિનમ્રતા દેખાવાં જોઇએ એવી જાપાની માન્યતા છે. * પ્રબુદ્ધ જીવન પર્વતીય પ્રદેશમાં રહેતા લોકોની અને સપાટ મેદાનના પ્રદેશમાં રહેતા લોકોની ચાલવાની રોજિંદી ટેવમાં ફરક જણાશે. સપાટ મેદાનોમાં રહેતા લોકોના પગ જમીનથી સહેજ જ ઊંચા થઇને ગતિ કરી છે. ડુંગરાળ પ્રદેશોમાં રસ્તામાં આવતા પથ્થરો, ખડકો વગેરેને કારણે ત્યાં રહેતા લોકોમાં કુદરતી રીતે જ પગ સહેજ ઊંચકીને કદમ ભરવાની ટેવ પડી જાય છે, જેથી અજાણતાં ઠેસ લાગે નહિ. સમૃદ્ધ દેશમાં જ્યાં રસ્તાઓ સીધા અને સપાટ હોય છે તથા મોટા મોટા સ્ટોર, થિએટરો, રેલવે સ્ટેશનો, એરપોર્ટ વગેરેમાં જ્યાં ફરસ એકસરખી હોય છે ત્યાં ઊંચુ જોઇને ચાલનાર માણસને પણ ઠેસ ન લાગે. જરાક ઊંચીનીચી જગ્યા આવી તો તરત ત્યાં Watch your stepનું પાટીયું આવ્યા વગર રહે નહિ. જ્યાં અજાણમાં માણસ ભૂલ કરે એવો સંભવ હોય અને ઠેસ વાગવાનો કે પડી જવાનો સંભવ હોય ત્યાં પગથિયાને બદલે કુદરતી ઢાળ જેવી રચના કરવામાં આવે છે. આરોગ્યની દૃષ્ટિએ ચાલવાની કસરત અંગે બધાના અનુભવો એક સરખા ન હોઇ શકે. કોઇને જાતે એકલા જ ચાલવું ગમે, તો કોઇકને સાથે એકાદ જણ હોય તો જ ગમે. કેટલાકને બે ચાર જણના સમૂહમાં વાતો કરતાં કરતાં ચાલવું ગમે, તો કોઇકને મૂર્ગા મૂગમાં ચાલવું ગમે. ચીની ફિલસૂફ લાઓત્સેને મૂંગા મૂંગા ચાલવું ગમતું. વાતો કરનારને તેઓ પોતાની સાથે ફરવા આવવાની મનાઇ કરી દેતા. દિવસે નહિ પણ રાતે એક્લા ચાલ્યા જવાનો આનંદ પણ અનોખો હોય છે. તેમાં ચાદની રાત હોય તો તો વળી ઓર મજા. પરંતુ અંધારામાં વનવગડામાં એકલા ચાલ્યા જવાનો આનંદ કેવો અલ્પ્ય હોય છે તે તો કોઇ ભીલ કે એવા કોઇ આદિવાસીને પૂછીએ તો ખબર પડે. ડુંગરાળ પ્રદેશોમાં પણ એવી જાતિના લોકોના પગર્લ 3ડીઓના મહાવરાને લીધે વ્યવસ્થિત રીતે પડમાં હોય છે. એવા લોકોને રાતના વખતે અંધારામાં વાઘ-વ કે સાપનો ભય પણ લાગતો નથી. તેમનો ઉછેર જ એ રીતે થયેલો હોય છે. એક વખત એક જંગલમાં અમે જીપમાં બેસીને જતા હતા ત્યારે પંદરેક વર્ષની એક આદિવાસી છોકરી લાકડાં વીણીને પોતાના ટોપલામાં નાખતી ચાલી જતી હતી. તેને જોઇને અમને આશ્ચર્ય થયું. જીપમાં બેઠેલા અમને અચાનક વાઘ આવી ચડે તેનો ડર હતો, પરંતુ એ છોકરીને વાધનો ડર નહોતો. અમે પૂછ્યું ત્યારે એણે કહ્યું, 'વાધ અમને કંઇ કરે નહિ, હાંઉં !' કુદરતને ખોળે ઉછરેલા માનવીઓ પોતાની પરિસ્થિતિનો કેવો સ્વીકાર કરી લે છે તે આવા પ્રસંગો ઉપરથી જોઇ શકાય છે. વનવગડાંમાં એક્લા એકલા નિરુદેશે આમતેમ ચાલ્યા જવાનો જે આનંદ છે તે કેટલો અનોખો છે તે તો જેણે સ્વાનુભવ હોય તે જ કહી શકે. માણસ જ્યારે એલો ચાલ્યો જતો હોય છે ત્યારે નિસર્ગ સાથે તે કોઇ જુદી જ જાતનું ઐક્ય અનુભવે છે. ક્યારેક એને પંખીઓ ઉપરાંત વૃક્ષો, લત્તાઓ, પાંદડાઓ કે ખળખળ વહેતાં ઝરણાઓ પણ બોલતાં, પોતાની સાથે વાતો કરતાં, ગાતાં સંભળાય છે. કુદરતમાં એકાંતમાં કોઇક સ્થળે એક્લા બેસવાનો જેવો આનંદ છે તેથી પણ કંઇક વિશિષ્ટ કોટિનો આનંદ એકલા એકલા ચાલ્યા જવાનો છે. માણસ તેવે વખતે જાત સાથે પણ વાતો કરી શકે છે, અજાણતાં વાતો કરવા લાગે છે. ક્યારેક તે ગીતો લલકારે છે. ચાલતાં ચાલતાં મુક્તકંઠે પોતાની જાતને વાચા દ્વારા વ્યક્ત કરવાનો એને ત્યારે એક અનોખો અવસર સાંપડે છે. ચાલવાનો મહિમા ઘણો મોટો છે, પરંતુ શું ચાલવાથી જ દીર્ઘાયુષ્ય મળે છે ? ઘરમાં શાંત બેસી રહેનાર વ્યક્તિ શું દીર્ઘાયુષ્ય ન થઈ થઈ શકે ? એનો ઉત્તર એ છે કે ધરમાં બેસીને સમય પસાર કરનાર વ્યક્તિ પણ જરૂર દીર્ઘાયુષ્ય થઈ શકે છે, પરંતુ તેવી વ્યક્તિએ પોતાના શરીરના ઓછા હલનચલનને લક્ષમાં રાખીને પોતાના આહારનાં પ્રકાર અને પ્રમાણ નક્કી કરી લેવાં જોઈએ. જેઓ તેવી સ્થિતિને અનુરૂપ થઈને આહાર-પાણી ઉપર સંયમ રાખે છે તેઓને માટે ચાલવાની કસરતની અનિવાર્યતા નથી. કેટલાક એવા યોગી મહાત્માઓ કે ગૃહસ્થ વૃદ્ધો જોવા મળશે કે જેઓ ચોવીસ કલાક પોતાના ધામમાં કે ઘરમાં બેઠા હોય અને છતાં નેવુંની ઉંમર વટાવી ચૂક્યા હોય. વ્યસન-રહિતતા, નિયમિત સમતોલ નિઆહાર ઉણોદરી વગેરે વ્રત અને વિશેષ તો ચિત્તની પ્રસન્નતા આરોગ્ય જાળવવામાં સહાયરૂપ થાય છે. વૃદ્ધાવસ્થા આવે અને શરીર અશકત થઈ જાય ત્યારે સ્થિરવાસ કરી દેનાર કેટલાય સાધુ મહાત્માઓ અને ગૃહસ્થો ઠીક ઠીક દીર્ઘાયુષ્ય ભોગવતા હોય છે. નેવું વર્ષની વયે સ્વર્ગવાસ પામનાર સાક્ષરવર્ય શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી જીવનનાં છેલ્લાં ત્રીસ વર્ષ ઘરની બહાર જવલ્લેજ નીકળ્યા હતા. મહાયોગી શ્રી અરવિંદ પણ છેલ્લાં લગભગ ૩૭ વર્ષ ઘરની બહાર નીકળ્યા નહોતા. અલબત્ત, આવાં ઉદાહરણોનું પ્રમાણ અલ્પ રહેવાનું. ચાલનાર વ્યક્તિને, ફરનાર વ્યક્તિને ભૌતિક, માનસિક તેમજ આધ્યાત્મિક ઘણા લાભ થાય છે. 'ફરે તે ચરે' એ કહેવતમાં ઘણું તથ્ય છે. માણસે સતત જાગૃત અને ક્યિાશીલ રહેવું જોઈએ એ ઉદ્દેશને લક્ષમાં રાખીને ઠેઠ પ્રાચીનકાળથી ભારતીય તત્ત્વચિંતકોએ કહ્યું છે : 'ચત્તિ ચરતો મા’ એટલે કે જે ચાલે છે તેનું ભાગ્ય પણ ચાલે છે, જે બેસી રહે છે તેનું ભાગ્ય પણ બેસી રહે અને જે સૂતો રહે છે તેનું ભાગ્ય પણ સૂતું રહે છે. ચાલવું શબ્દ અહીંયા માત્ર અભિધાની દૃષ્ટિએ ન લેતાં લક્ષણાથી તથા ભાવાર્થથી પણ લેવાનો છે. તેમાં ચાલવાની સ્થૂલ ક્રિયાનો સમાવેશ થઈ જાય છે. જે માણસે સારું ભાગ્ય, સારી તક મેળવવી હોય તે વ્યક્તિએ હરતાં ફરતાં રહેવું જોઈએ. ધરમાં હાથ પગ જોડીને બેસી રહેનારને સારી તક મળતી નથી. આમ ચાલવાનો, ચરણ-ચલણનો મહિમા દુનિયામાં સર્વત્ર, સર્વકાળ માટે સ્વીકારાયો છે. ચાર્લ્સ ડિકન્સે એક સ્થળે કહ્યું છે : The sum of the whole is this: Walk and be happy; walk and be healty. The best way to lengthen out our days is to walk steadily and with a purpose. the wanderign man knows of certain ancients, far gone in years, who have staved off infirmities and dissolution, by earnest walking-hale fellows, close upon ninety, but brisk as boys. चरैव इति । ] રમણલાલ ચી. શાહ નેત્રયજ્ઞ શ્રી મુંબઇ જૈન યુવક સંઘના આર્થિક સહયોગથી માંડવી (જી. સુરત)ની નેત્રયજ્ઞ સમિતિ દ્વારા સુરત જિલ્લાના માંડવી ગામે રવિવાર, તા. ૩૦મી જાન્યુઆરી, ૧૯૯૪ના રોજ નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. ॥ મંત્રીઓPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 112