________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૦ ).
શ્રી કર્મ
ગ્રંથ-સવિવેચન.
ST
અંતે એ આવે છે કે અહંમમત્વરહિત આત્મભેગપૂર્વક કાર્ય કરી શકાતું નથી. જે દેશમાં અનિશ્ચિત બુદ્ધિવાળા મનુષ્યો ઉત્પન્ન થાય છે તે દેશની રાજ્યમાં વ્યાપારમાં સૈનિકબળમાંહુન્નરકળામાં શારીરિક વાચિક અને માનસિકબળમાં હીનતા વધે છે અને તે દેશનું સ્વાતંત્ર્ય નષ્ટ થવાની સાથે પરતંત્રતાની બેડીમાં તે દેશ રીબાય છે. લૌકિક કાર્યપ્રવૃત્તિમાં અને ધર્મકાર્યપ્રવૃત્તિમાં અનિશ્ચયાત્મક બુદ્ધિથી મનમાં અનેક પ્રકારના સંશ ઉદભવે છે અને તેથી મનની કાર્યપ્રવૃત્તિમાં નપુંસકના જેવી દશા થાય છે. અએવ કર્મગીઓએ કાર્યપ્રવૃત્તિમાં નિશ્ચયાત્મક બુદ્ધિવાળા થવું જોઈએ. જેની મતિ સ્વકાર્યપ્રવૃત્તિમાં નિશ્ચયાત્મિક વર્તે છે તે મનુષ્ય ગમે તેવા અશક્ય કાર્યને સુસાધ્ય કરી સાધી શકે છે. કઈ પણ કાર્યમાં જેની અનિશ્ચયાત્મકબદ્ધિ છે તે વિશ્વમાં જન્મીને કંઈ પણ ઉકાળો નથી. અને માંસના લેચાથી બનેલા તેના શરીરમાં જીવ છતાં પણ તે એક નપુંસકને ન છાજે તેવું સ્વપ્રવૃત્તિમાં મન રાખે છે. પ્રસંગોપાત્ત કાર્ય પ્રવૃત્તિમાં સ્વાધિકારને નિશ્ચય જે કરી શકતો નથી તે વિશ્વમાં દાચકર્મ વા ભિક્ષાકર્મ કરવાને પણ નાલાયક કરે છે. શંકરાચાર્યને સ્વયેગ્ય ધર્મકર્મપ્રવૃત્તિમાં નિશ્ચય હતો તેથી તે સ્વધર્મનું સ્થાપન કરી શક્યા. કઈ પણ કાર્યની પ્રવૃત્તિમાં પ્રવર્તતાં પહેલાં સ્વકાર્ય યોગ્ય કર્મપ્રવૃત્તિને જે નિશ્ચયબુદ્ધિથી નિર્ણય કરે છે તે સ્વકાર્ય પ્રવૃત્તિમાં વિજયી બને છે એમ વસ્તુતઃ અવબોધવું. કઈ પણ કાર્ય સ્વાધિકારે કર્તવ્ય છે કે નહિ અને તે કરવાનું સ્વસામર્થ્ય છે કે નહિ તેને જે મનુષ્ય સ્વબુદ્ધિથી નિશ્ચય કરી પ્રવૃત્તિ કરે છે તે સ્વકાર્યપ્રવૃત્તિ ફરજ અદા કરવાને યોગ્ય છે એમ અવધવું. દેવગુરુ અને ધાર્મિક પ્રવૃત્તિમાં જે સંદિગ્ધ મતિવાળો છે તે કદાપિ વિજય પામ્યો નથી વર્તમાનમાં પામતો નથી અને ભવિષ્યમાં પામશે નહિ. મહમદપયગંબરના સમયમાં તેના ભક્તોનો તેના પર પરિપૂર્ણ વિશ્વાસ હતો અને મહમદ પયગંબરને સ્વીકાર્ય પ્રવૃત્તિમાં નિઃસંશયબુદ્ધિ હતી તેથી તે મલેમ ધર્મની સાથે મસ્લમ રાજ્યનું સ્થાપન કરવા શક્તિમાન્ થયો-એમ તે સમયના ઇતિહાસથી નિશ્ચય કરી શકાય છે. કોઈ પણ કાર્યપ્રવૃત્તિ કરતાં વા કોઈ પણ બાબતને વિચાર કરતાં અસંદિગ્ધમતિ ન રહેવી જોઈએ. વિવેકદ્વારા જે જે કાર્ય કરવાનાં હોય તેમાં યથાશક્તિ સ્વયેગ્યતાનો નિર્ણય થવો જોઈએ કે જેથી સ્વાધિકાર યોગ્ય કાર્ય - પ્રવત્તિને પ્રારંભીને સ્વસંબંધી અને પરસંબંધી સર્વ કર્તવ્ય ફરજો અદા કરી શકાય. નિશ્ચિતબુદ્ધિથી સ્વયેગ્ય કર્મપ્રવૃત્તિને જે નિશ્ચય કરે છે તે કાર્ય કરવાને છે એમ કથી વિશેષ પ્રકારે કાર્ય કરવાની યોગ્યતાધારકોનું સ્વરૂપે વર્ણવવામાં આવે છે. જે મનુષ્ય ધીર છે તે કાર્ય કરવાને ચગ્ય છે. જ્ઞાની આદિ વિશેષણે વડે યુક્ત હોય તથાપિ ધેર્યા વિના કાર્યપ્રવૃત્તિમાં વિદની સામા ઊભા રહી શકાતું નથી. સાનુકુલ સંગો હોય છે તાવતું. તો સર્વ મનુષ્યો સર્વ પ્રવૃત્તિ કર્યા કરે છે પરન્તુ જ્યારે કાર્ય કરતાં અનેક વિદનો સમપસ્થિત થાય અને અનેક પ્રકારની વિપત્તિ આવી પડે ત્યારે તો ધીરમનુષ્ય વિના કર્તવ્ય
For Private And Personal Use Only