Book Title: Karmayoga 2
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 806
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૦૬ ) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. સાપેક્ષદષ્ટિથી જાણીને સત્યપ્રગતિકારક સત્યાંશને ગ્રહવા જોઈએ. આચારમાં અને વિચારામાં ભિન્નનામાદિપર્યાવડે જે સત્યાંશે હોય તે ગ્રહવા જોઈએ. સત્યની કરોડે ભિન્ન ભિન્ન વ્યાખ્યાઓ કરીએ હૈયે અનન્તસત્યને પાર આવી શકતું નથી. દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી સત્યાંશેના અસંખ્ય ભેદે અનુભવાય છે. આ કાલમાં અજ્ઞાનીઓ પરસ્પર સત્યાંશને નિરપક્ષદષ્ટિએ અસત્યાંશ રૂપ માનીને ધર્મયુદ્ધો કરીને વિશ્વની ધર્મના નામે પાયમાલી કરે છે અને તેથી ધર્મના નામે અધર્મનું સેવન કરીને મનુષ્ય દુર્દશાને પરંપરાએ વારસામાં મૂકી જાય છે. વિશ્વમાં કઈ ધર્મનાં તો અસત્ય હોય છે પરંતુ તેમાં નીતિધર્મના આચારોનું વિશેષ જોર હોય છે તો તે અનીતિમય આચારયુક્ત સત્યતત્વવાળા ધર્મ કરતાં વિશેષ વ્યાપક બનીને મનુષ્યની ઉન્નતિ કરી શકે છે. દરેક ધર્મમાં સત્યાંશનું એક મુખ્ય અંગ પડે છે તેથી તે ધર્મની વિશ્વમાં જીવંતદશા વર્તે છે. સંવ્યવહારદષ્ટિએ લૌકિકકર્તવ્ય કાર્યોમાં બ્રાહ્મણ-ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર એ ચારે વણેના ગુણો અને કરૂપ લૌકિકધર્મની આવશ્યકતા સિદ્ધ કરે છે; તે જ્યાં સુધી જે વર્ગમાં કાયમ રહે છે ત્યાં સુધી તે વિશ્વને ઉપયોગી બની શકે છે. સર્વનની સાપેક્ષતાએ વિશ્વવર્તિસર્વધર્મોના પ્રગતિકારકવિચારેને અને આચારોને ગ્રહણ કરનાર જૈનધર્મની સર્વધર્મોમાં અમુક અમુક સત્યાંશે વિદ્યમાનતા હોવાથી, વ્યાપક દષ્ટિએ જૈનધર્મ સર્વત્ર વ્યાપક છે એવું અનુભવાય છે. અનra સત્યબ્રહના અંશે જે જે આચામાં છે તે સ્વાદ્વાદ જૈનધર્મ છે એવી વિશાલદષ્ટિથી જ્યાં સાપેક્ષનની વિચારણા કરાય છે એવા સ્યાદ્વાદીઓ સર્વત્ર જૈનધર્મને અનેક સત્યાંશથી વિખ્યાત કરી શકે છે. અનન્તસત્યાંશથી પરિપૂર્ણ એવા જૈનધર્મના અનન્તજ્ઞાનવત્વમાં વિશ્વવર્તિ કરેડ ધર્મોને સમાવેશ થાય છે. વિશ્વવર્તિવિચારોમાં અને આચારમાં જે જે સત્યાંશે છે તેને કેવલજ્ઞાનીએ સત્યધર્માશે કથેલા છે તેથી તે મહાવીર પ્રભુના સિદ્ધાંતોથી અવિરુદ્ધ હોઈ ગ્રહવા લાયક છે–એમ જૈનાચાર્યો ડિંડિમ વગાડીને કથે છે; માટે સર્વધર્મોને પોતાના અનન્તજ્ઞાનધર્મવર્તુળમાં સમાવનાર જૈનધર્મને સર્વત્ર પ્રચાર કરવાની જરૂર છે. સર્વનની સાપેક્ષતાએ અનેકાન્તનયજ્ઞાન થાય છે ત્યારે સર્વધર્મીઓ જે મતાંધતા કરે છે તેને ક્ષય થાય છે. અનેકાન્તનયજ્ઞાન વિના ધર્મ સંબંધી મનુષ્યોને પરસ્પર જે રાગદ્વેષ થાય છે તેને ક્ષય થતું નથી અને તે વિના મતાંધતા પણ ક્ષય થતું નથી. અનેકાન્ત જૈનધર્મરૂપ મહાસાગરના સર્વસત્યાંશે ગમે તે ધર્મના આચારમાં અને વિચારોમાં હોય પરંતુ તે અનેકાન્ત જૈનધર્મરૂપ મહાસાગરના બિંદુઓ છે એવો અનુભવ આવતાં જૈનધર્મની ઉપયોગિતાને ખ્યાલ ખરેખર વિશ્વવતિસર્વ મનુષ્યને કરાવી શકાય છે. જૈનધર્મજ્ઞાનની આવી અનન્તવતું લતા છે અને તેમાં સર્વધર્મોના સત્યવિચારોને અને આચારેને અનાદિકાલથી સમાવેશ થાય છે અને અનન્તકાલપર્યત થશે એવું જે જૈનાચાર્યો જાણે છે-તેઓ ગચ્છકદાગ્રહ-મતકદાગ્રહ આદિ કદા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821