________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નયનું
સ્વરૂપ.
(૫૭).
કથંચિત્ સાપેક્ષ દૃષ્ટિએ અનેકાન્ત આત્મસ્વરૂપમાં સમાવેશ થાય છે. શુદ્ધાદ્વૈતને લેકાલેકજ્ઞાયક કેવલ શુદ્ધાત્મજ્ઞાનમાં સ્યાદ્વાદપણે સમાવેશ થાય છે. જીવ અને અજીવ એ બે તત્વનું પ્રતિપાદન કરનારા મુસન્માન અને બ્રીસ્તિના મતને જડ અને ચેતન એ તરવમાં સમાવેશ થાય છે. તૈયાયિકનાં તમને ષ દ્રવ્યમાં કથંચિત્ સમાવેશ થાય છે. મીમાંસૃકેની માન્યતા પ્રવાહથી અનાદિકાલથી વહેનાર શ્રુતજ્ઞાનરૂપ વેદવાણીમાં સમાવેશ થાય છે. બોદ્ધોના મુખ્ય આત્મતત્વને જૈન દર્શન પ્રતિપાદિત રજુસૂત્રનયમાં કથંચિત્ દૃષ્ટિએ સમાવેશ થાય છે અને બૌદ્ધાચારને જૈન દર્શન પ્રતિપાદિત વ્યવહારનયમાં સમાવેશ થાય છે. વેદ કર્મકાંડને નિગમનયના આચારમાં કથંચિત્ સમાવેશ થાય છે. કબીરપ્રતિપાદિત અધ્યાત્મજ્ઞાનને જૈન દર્શનપ્રતિપાદિત નિશ્ચયનયમાં સમાવેશ થાય છે અને કબીર પ્રતિપાદિત સદાચારનો વ્યવહારનયમાં સમાવેશ થાય છે. સાંખ્યપ્રતિપાદિત પુરુષ અને પ્રકૃતિ તને આત્મા અને જડ દ્રવ્યમાં કથંચિત સમાવેશ થાય છે. વૈકુંઠ અને ગોલક તપલેક વગેરેનો બાર દેવલોકના વિમાનમાં સમાવેશ કથંચિત થાય છે. વેદાન્તની માયાને મેહનીય કર્મમાં સમાવેશ થાય છે. ઇશ્વરકર્તવવાદને કથંચિત્ ઉપચરિત નૈગમનયમાં વ્યષ્ટિ-સમષ્ટિ દૃષ્ટિએ અશુદ્ધાત્મભાવ કર્તવમાં સમાવેશ થાય છે. સત્ ચિત્ અને આનન્દ આત્મામાં સમાવેશ થાય છે. જ્ઞાનાવરણીયાદિક રહિત ગુણાદિરહિત પરમશુદ્ધતાને પરમાત્મદશા કથાય છે. બીજમાર્ગીઓએ પ્રતિપાદિત ગમાર્ગને, પતંજલિપ્રતિપાદિત
ગદર્શનને, હગ, લય , સંગને જૈનદર્શનપ્રતિપાદિત વ્યવહારોગમાં અને નિશ્ચયનય વેગમાં કથંચિત્ સમાવેશ થાય છે. ભક્તિમાર્ગપ્રતિપાદિત નવધાભક્તિનો સમ્યકત્વદર્શનના હેતુઓમાં કથંચિત્ સમાવેશ થાય છે. આ પ્રમાણે સર્વધર્મોની માન્યતાએને જૈનદર્શનપ્રતિપાદિત સિદ્ધાંત સમાવેશ થાય છે. આત્માની પરમાત્મતા કરવી એ સર્વદર્શનેનું મુખ્યમંતવ્ય છે અને એ મંતવ્યને અનેક વેગવડે વિશ્વમાં જાહેર કરનાર સર્વજ્ઞ શ્રી વીર પરમાત્મા છે. તેમના જ્ઞાનરૂપ દર્શનમાં સર્વ દર્શનનો સમાવેશ થઈ જાય છે તેને શ્રી આનંદઘનજીએ નેમિનાથના સ્તવનમાં સ્પષ્ટ નિર્દેશ કર્યો છે. સર્વ આગમાં આત્માની પરમાત્મદશા પ્રગટ થાય એવા ઉલ્લેખ કરવામાં આવ્યા છે. આર્યાવર્તમાં વિદ્યમાન સર્વ શ્નેમાં પણ પરમાત્મપદ પ્રાપ્ત કરવું એ મુખ્ય ઉદ્દેશ છે. સર્વ નદીઓ જેમ દૂર દૂરતરથી પણ નીકળીને સાગરમાં પ્રવેશ કરે છે તેમ વિશ્વવતિ સર્વધર્મની નદીઓ પણ પરમાત્મારૂપ સાગરમાં ભળવા સંચરે છે. સર્વ દર્શનેનું જૈનદર્શનરૂપ સાગરમાં ભળવું થાય છે. જૈનદર્શનમાં નૈગમ સંગ્રહ વ્યવહાર ત્રાજુસૂત્ર શબ્દનય સમભિરૂઢ અને એવંત એ સાત નય છે. સાત નયના એકંદર સાતસે ભેદ થાય છે. સાત નવડે વિધવર્તિ દરેક વસ્તુનું સ્વરૂપ પ્રકાશાય છે. સાત નયના શ્રુતજ્ઞાનરૂપ વેદ ખરેખર આ વિશ્વમાં અનાદિકાલથી વત્ય કરે છે અને અનન્ત કાલપર્યત વર્તવાના. સાત
For Private And Personal Use Only